SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ દેવ ૩૮૧ છ ખંડનો સ્વામી તથા બત્રીસ હજાર મુકુટબંધી રાજા જેની આજ્ઞામાં છે, બત્રીસ હજાર સામાનિક રાજા, સોળ હજાર દેવતા ચાકરી કરે, ચોસઠ હજા૨ સ્ત્રી, ત્રણસો સાઠ રસોઈયા, વીસ હજાર સોનાના આગાર વિ. ' ૩. ધર્મદેવ : આઠ પ્રવચન માતાના સેવનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશવિધ યતિધર્મના પાલણહાર, બાર ભેદે તપસ્યાના કરનાર, સત્તર ભેદે સંયમના પાળનાર, બાવીસ પરિષહના સહનાર, સાધુના સત્તાવીસ ગુણે ક૨ી સહિત, તંત્રીસ આશાતનાના ટાળણહાર, છત્રુ દોષરહિત આહાર પાણીના લેનાર જે છે તેને ધર્મદેવ કહીએ. ૪. દેવાધિદેવ : ચોત્રીસ અતિશયે ક૨ી બિરાજમાન, પાંત્રીસ વચન વાણીના ગુણે ક૨ી સહિત, ચોસઠ ઇદ્રના પૂજનીક, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધણી, અઢાર દોષ રહિત અને બાર ગુણે કરી સહિત હોય, તે બાર ગુણ, ૧ જ્યાં જ્યાં ભગવંત ઊભા રહે, બેસે, સમોસરે ત્યાં ત્યાં દશ બોલ સહિત તે ભગવંતથી બા૨ગુણો ઊંચો તત્કાળ અશોકવૃક્ષ થઈ આવે ને સ્વામીને છાંયો કરે. ૨ ભગવંત જ્યાં જ્યાં સમોસરે ત્યાં ત્યાં પાંચવર્ણા અચેત ફૂલની વૃષ્ટિ થાય ને ઢીંચણ પ્રમાણે ઢગલા થાય. ૩ ભગવંતની જોજન પ્રમાણે વાણી વિસ્તરે ને સહુનાં મનનો સંશય હરે. ૪ ભગવંતને ચોવીસ જોડ ચામર વીંઝાય. ૫ સ્ફટિક રત્નમય પાદપીઠ સહિત સિંહાસન સ્વામીની આગળ થાય. ૬ ભામંડળ અંબોડાને ઠેકાણે તેજમંડળ બિરાજે, દિશોદિશના અંધકાર ટળે. ૭ આકાશે સાડાબાર ક્રોડ ગેબી વાજાં વાગે. ૮ ભગવંતની ઉપર ત્રણ છત્ર ઉપરાઉપરી બિરાજે. ૯ અનંત જ્ઞાન અતિશય. ૧૦ અનંત અર્ચા અતિશય - ૫૨મપૂજ્યપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy