SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦) શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૪ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેનો સ્વાદ લે, ૫ પૂજા સત્કાર વાંછે, ૬ નિર્વઘ પ્રરૂપે પણ સાવદ્ય લાગે, ૭ જેવું પ્રરૂપે તેવું કરી શકે નહિ. એ સાત વાનાં (વસ્તુ) જેનામાં હોય તેને છબસ્થ જાણવો. આયુષ્ય સાત કારણથી તૂટે છે. ૧ અધ્યવસાય – અતિ હર્ષ, શાક કે ભયથી, ર નિમિત્ત – શસ્ત્ર, દંડ આદિથી, ૩ આહાર – વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪ વેદના – જ્વર, રોગ આદિની પ્રાણનાશક પીડાથી, ૫ પરાઘાત – વીજળી પડવી, ખાડામાં પડવું, વૃક્ષ કે મકાન પડવાથી, ૬ સ્પર્શ – સર્પ વિ. ઝેરી પ્રાણીના કરડવાથી, ૭ શ્વાસોચ્છવાસ – તેના રૂંધાવાથી મરે. સાત નય કહે છે. ૧ નૈગમ નય, ૨ સંગ્રહ નય, ૩ વ્યવહાર નય, ૪ ઋજુસૂત્ર નય, પ શબ્દ નય, ૬ સમભિરૂઢ નય, ૭ એવંભૂત નય. મઘા નક્ષત્રના સાત સાત તારા કહ્યા છે. ૮. આઠમે બોલે – આચાર્યની આઠ સંપદા. ૧ આચાર સંપદા, ર શરીર સંપદા, ૩ સૂત્ર સંપદા, ૪ વચન સંપદા, ૫ પ્રયોગ સંપદા, ૬ મતિ સંપદા, ૭ સંગ્રહ સંપદા, ૮ વાચના સંપદા. એકલ વિહારી સાધુ સાધ્વીના અવગુણ ૮ છે. ૧ ક્રોધી, ૨ અહંકારી, ૩ કપટી, ૪ લોભી, ૫ પાપ કરવામાં આસક્ત, ૬ કુતૂહલી મશ્કરી કરનાર, ૭ ધૂતારો અને ૮ નબળા આચારવાળો હોય તે એકલો રહે. આઠ ગુણનો ધણી એકલો રહે. ૧ સંયમના દૃઢ પરિણામનો ધણી ગુરુની આજ્ઞા લઈને એકલો રહે, ર ઘણા સૂત્રનો જાણ એકલો રહે, ૩ જઘન્ય દશ પૂર્વનો ભણેલો, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનો ભણેલો એકલો રહે, ૪ ચાર જ્ઞાનનો ધણી એકલો રહે, પ મહાબળનો ધણી એકલો રહે, ૬ કલેશ રહિત હોય તે એકલો રહે, ૭ સંતોષી એકલો Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy