SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાંચ જ્ઞાન (૨૪૧) (૧) અનુગામિક, (૨) અનાનુગામિક, (૩)વર્ધમાનક, (૪) હિયમાનક, (૫) પ્રતિપાતિ, (૬) અપ્રતિપાતિ. (૧) અનુગામિક – જ્યાં જ્યાં જાય ત્યાં તે સાથે આવે. તે બે પ્રકારનું છે. ૧. અંતઃગત, ૨. મધ્યગત. ૧. અંતઃગત અવધિજ્ઞાન – તેના ત્રણ પ્રકાર. અ. પુરતઃ અંતઃગત – (પુ૨ઓ અંતગત) તે શ૨ી૨ના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. આ. માર્ગતઃ અંતઃગત – (મર્ગીઓ અંતગત) તે શ૨ી૨ના પૃષ્ટ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ઇ. પાશ્વર્તઃ અંતઃગત – (પાસઓ અંતગત) તે શરીરના બે પાર્શ્વ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. અંતઃગત અવિધ ઉ૫૨ દૃષ્ટાંત છે. જેમ કોઈ પુરૂષ દીપ પ્રમુખ ઉપર અગ્નિનું ભાજન તથા મણિપ્રમુખ હાથમાં લઈને આગળ કરી ચાલતો જાય તો આગળ દેખે. જો પુંઠે રાખે તો પુંઠે દેખે, તેમ બે પડખે રાખી ચાલેતો બે પડખે દેખે. જે ત૨ફ રાખે તે તરફ દેખે, બીજી બાજુ ન દેખે. એ રહસ્ય છે વળી જે બાજુ ત૨ફ જાણે દેખે તે બાજુ તરફ સંખ્યાતા અસંખ્યાતા યોજન લગી જાણે દેખે. ૨. મધ્યગત અવધિજ્ઞાન – તે સર્વ દિશી તથા વિદિશી ત૨ફ (ચૌત૨ફ) સંખ્યાતા, અસંખ્યાતા યોજન લગી જાણે દેખે. પૂર્વોક્ત દીપ પ્રમુખ ભાજન માથે મૂકીને ચાલે તો તે ચૌતરફ દેખે તેમ. (૨) અન્નાનુગામિક અવધિજ્ઞાન – તે જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉપજ્યું હોય તે સ્થાને રહીને જાણે દેખે. અન્યત્ર તે પુરૂષ જાય તો ન જાણે દેખે. તે ચારે દિશાએ સંખ્યાતા, અસંખ્યાતા યોજન સંલગ્ન તથા અસંલગ્નપણે જાણે દેખે. જેમ કોઈ પુરૂષે દીવી પ્રમુખ અગ્નિનું ભાજન -16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy