SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૧૮) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તૈજસ પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. તેના ૭ પ્રશ્ન થાય છે. ૨. એકવચને – તે એક જીવે, એક નારકી જીવે, ઔદારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અતિત (ગયા) કાળે અનંત અનંત વાર કર્યા. ભવિષ્ય કાળે કોઈ પુદ્ગલ પરાવર્ત કરશે નહિ (મોક્ષ જશે તે), કોઈ કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત પુદ્ગલ પરાવર્ત કરશે. એમ ભવનપતિ વગેરે ૨૪ દંડકનાં એક એક જીવે સાત પુલ પરાવર્ત ગયા કાળે અનંત કર્યા, કેટલાક ભવિષ્ય કાળે કરશે નહિ (મોક્ષ જશે માટે), જે કરશે તે ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. સાત પુદ્ગલ પરાવર્ત, ૨૪ દંડક સાથે ગણતાં ૧૬૮ પ્રશ્ન થાય. ૩. બહુવચને તે સર્વ જીવે, સર્વ નારક જીવે પૂર્વ કાળે ઔદારિક પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અનંત અનંત કર્યા. ભવિષ્યકાળે ઘણાઓ અનંત કરશે. એમ ૨૪ દંડકના બહુ જીવોએ અનંત પુદ્ગલ પરાવર્ત કર્યાને ભવિષ્યકાળમાં કરશે. તેના પણ ૧૬૮ પશ્ન થાય છે. એમ કુલ ૭+૧૬૮+૧૬૮ = ૩૪૩ પ્રશ્ન થાય છે. ૪. ત્રિસ્થાનક દ્વાર : ૧. એક જીવે કયા કયા સ્થાને, કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા? કયા કયા પુદ્ગલ પરાવર્ત કરશે? ૨. બહુ જીવે કયા કયા સ્થાને પુદ્ગલ પરાવર્ત કર્યા, કરશે?૩. સર્વ જીવે કયા કયા દંડકમાં કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા? ૧. એક વચને : તે એક જીવે નારકપણે ઔદારિક પુદગલ પરાવર્ત કર્યું નથી, કરશે નહિ. વૈક્રિય પુગલ પરાવર્ત કર્યું છે, કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ તૈજસ પુદ્ગલ પરાવર્ત, કાર્મણ પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy