SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૬૪૬ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪૫. ચાર પ્રકારે આહાર પરઠવવો – ૧. દ્રવ્યથકે આધાકર્માદિક, ૨. ક્ષેત્રથકી, બે ગાઉ ઉપરાંતનો, ૩. કાળથકી, ચોથ પહોરનો, ૪. ભાવથકી, અપથ્યકારી 'કડવા તુંબાની પેરે'. ૪૬. ચાર પ્રકારે આહાર પરઠવવો – ૧. પરવતી વખતે કોઈ મનુષ્ય દૂરથી આવે છે અને દેખે છે તે અશુદ્ધ. ૨. કોઈ દૂરથી આવે છે પણ દેખતો નથી તે પણ અશુદ્ધ. ૩. કોઈ આવતું નથી પણ દેખે છે તે પણ અશુદ્ધ. ૪. કોઈ આવતું નથી અને દેખતું પણ નથી, તે શુદ્ધ ભાંગે પાઠવવું. ૪૭. ચાર પ્રકારે અંતક્રિયા - (છેવટની) કહી તે – ૧. ભરત મહારાજે અંતક્રિયા કરી. ૨. મરૂદેવી માતા. ૩. ગજસુકુમાર. ૪. સનતકુમાર ચક્રવર્તી. એ ચાર અંતક્રિયા કરી મોક્ષે ગયા. ૪૮. ચાર પ્રકારની સ્ત્રીઓ કહી, તે કહે છે – ૧. એક સ્ત્રી, શીલ ગુણે કરી સહિત અને વસ્ત્ર કરીને પણ સહિત, સીતાવત્. ૨. એક શીલે કરીને સહિત અને વસ્ત્ર કરીને રહિત તે રાજમતી ગુફાવતું. ૩. એક શીલે કરીને રહિત અને વસ્ત્ર કરીને સહિત તે વ્યભિચારિણીવતું. ૪. એક શીલે કરીને રહિત અને વચ્ચે કરીને પણ રહિત તે ગણિકા, વસ્ત્ર રહિત છબી પડાવનાર. ૪૯. ચાર મોક્ષ પામવાનાં અંગ કહ્યાં – ૧. મનુષ્યનો ભવ, ૨. સિદ્ધાંત સાંભળવાની પ્રીતિ. ૩. ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા. ૪. ધર્મ કાર્યમાં બળ – વીર્યનું ફોરવવું. ૫૦. મોક્ષના ચાર દરવાજા કહ્યા – ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ. ઇતિ ચૌભંગી. ઇતિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy