________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
漢脍凼XXX&N AN ON SHXXXXXXXXXX282
Jain Education Internation
રૂપી સમુદ્રમાં સ્નાન કરતા મને તપાવવાને ખીલકુલ સમથ નથી. હું ભાળી ! નરકનાં અતિશય તીવ્ર દુ:ખામાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાંમુખ થયેલા મને સૌધર્માદિ દેવલેાકેામાં રહેનારી રંભા કે તિલેાત્તમા વિગેરેના શુંગારયુક્ત સર્વ પ્રયાસો પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી. તેનાં તેવાં આરંભેા પણ નિષ્ફળ જાય તેમ છે, તે પછી તમારી જેવાની તો શી ગણત્રી ? શે હિસાબ ? નરકમાં રહેલી જ્વાળાઓની શ્રેણીઆની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનાથી ભય પામેલી ચેતનાવાળા કયા પુરૂષ એવા કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાંજ ઉત્પન્ન થયેલ દુઃખ સČસ્વને અનુભવનાર લિલતાંગ કુમારની માફક કામસંજ્ઞાના ઉદય થતાં પરસ્ત્રી ભાગવવાની ઈચ્છા માત્ર પશુ કરે ? કોઇ પણ સચેતન પ્રાણી તે। તેવી ઇચ્છા કરેજ નહિ. હે ભદ્રે ! જે મનુષ્યા આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણમાત્ર પણ પરસ્ત્રીના સ’યેગથી ઉત્પન્ન થયેલુ સુખ ભોગવી આનંદ માને છે, તે મનુષ્યા પછીના ભવમાં પરસ્ત્રીથી બંધાયેલા કમ નેા ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસ`ખ્ય કાળ પરમાધામી દેવાએ કરેલી વેદના અને ક્ષુધા તૃષા વિગેરે દશ પ્રકારની સ્વાભાવિક વેદના અતિ સ્વરૂપમાં ભાગવે છે.
હાય
For Personal & Private Use Only
સુધી
આકરા
નારકીના જીવાને ઉત્પન્ન થતી સ્વાભાવિક દશ પ્રકારની વેદના આ પ્રમાણે છે :
૧. આ લલતાંગ કુમારની કથા પરિશિષ્ટ પર્વના ત્રીજા સગમાં લાક ૨૧૪ થી ૨૬૫માં વર્ણવેલ છે. પરસ્ત્રી સંગથી ઉત્પન્ન થતાં દુ:ખ માટે તે ખાસ વાંચવા લાકક અને ઉપદેશક કથા છે.
滤瘞XXX闳|型AYSXRNAXXAXAXY S8
૧૪૮
Jainelibrary.org