________________
શ્રી
ધન્ય કુમારે ? ચરિત્ર ભાગ ૨ |
નવમે પલવ
ક
પછી તે વાંદરીને વારંવાર ધનવતીની સામે જોતાં અને ગુરુનું કથન સાંભળતાં તેમજ પૂર્વે આચરેલ ધર્મકર્માદિની પ્રવૃતિ દન તીના તથા ના જે દી સાંભળતાં જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધનવતી તરફ તથા પિતાના પતિ ગુરુ તરફ વારંવાર જેતી તે અત્યંત વિષાદ કરવા લાગી. ગુરુએ તેને પ્રતિબંધ છે કે-“ભદ્ર ! હવે નકામો વિષાદ દરવાથી શું ? મોહની ગતિ આવી જ છે. તે મૃત્યુ સમયે પતિ તથા પુત્રીની ચિંતાવડ યાન : ચું” તેથી તારી તિર્યંચગતિ થઈ. પોતાના દોષથીજ જો દુર્ગતિમાં ભમે છે. સર્વે જે પિતાના કર્મોને અનુસરે જેવું કર્મ બાંધ્યું હોય તેવું ફળ અનુભવે છે. પૂર્વના કર્મો ભોગવ્યા વગર એ ગર ઉગ્ર તપસ્યા કર્યા વગર કેઇ ખપાવવા સમર્થ થતું નથી. જે સંસારનું સ્વરૂપ જાણીને તેનાથી ત્રાસ પામી મુકિતને માટે જ એકાંતે તૈયાર થાય છે. તે નવા કર્મો બાંધો નથી પરંતુ પૂર્વ બાંધેલા કર્મો તે તે પણ ભેળવીને તથા ઉગ્ર તપસ્યા કરીને ખપાવે છે તું પણ પંચેદ્રિય છે પાંચમાં ગુણ સ્થાનક સુધીની પ્રાપ્તિ કરવાને યેચ છે તેથી યથાશકિત તપ અંગીકાર કર અને નમસ્કાર મંત્રનું અવિચ્છિન્ન ધ્યાન કર તેથી તારે દુર્ગતિરાથી છુટકારો થશે અને તે બીજ વડે પરંપરાએ તું સિદ્ધિ સુખ પણ પ્રાપ્ત કરી શકીશ આ તારી પુત્રી પ્રતિપાલન કરશે અને તને સહાય આપશે.
આ પ્રમાણેનાં ગુરુનાં વચન સાંભળીને તે વાંદરાએ એકાંતર ઉપવાસનો નિયમ ગુરુ સાક્ષીએ ગ્રહણ કર્યો ગુરુએ પણ તે બધું ધનવતીને જણાવ્યું અને કહ્યું કે “તારે આ વાંદરીને ઘેર રાખીને તેને સહાય કરવી આ તારી માતા છે, તેના પ્રત્યુપકાર કરવાને તું કરડે ભવે પણ શકિતવંત થાત નહિ માતાના પ્રત્યુપકાર કરવાનો આ એક જ માગે છે કે તે ધર્મથી મૃત થયેલ હોય તે તેને ફરીથી દમમાં જેડવી, તેમ કરવાથી તમારા માતા પુત્રને
જ
ક ૨eo
Jain Education Interim
For Personal & Private Use Only
www.ainelibrary.org