________________
થી
ગર નિ.
જઈને કહેલ
છો.
.” તે
દે. મારી પુત્રવધૂને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છે; છતાં અમારા જેવા રાંકને શા ધન્યૂકમાણ ચરિત્ર
માટે પીડે છે ? ” આ પ્રમાણેની ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે. ભાગ ૧ તેવામાં ધન્યકુમાર ભ્રકુટીની સંજ્ઞાથી સિપાઈને કહેવા લાગ્યા કે—“આ શું માગે છે? તે જે કાંઈ માગે તે
ઘરમાં લઈ જઈને તેને આપો.” તે સાંભળી સેવકો બેલ્યા કે-“અરે વૃદ્ધ પુરૂષ ! ઘરમાં ચલે. અમે પલ્લવ તમને તમારી પુત્રવધૂ ત્યાં આપશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ
પછવાડે તરતજ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો. નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બેલ્યા કે “ આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” આ પ્રમાણેની અમૃતતુલ્ય ધન્યકુમારની વાણી સાંભળીને પુત્ર દર્શનથી અકલ્પિત એ મને રથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબઈ ગયો હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગે; આ વાત સત્ય કહી છે કે“ સમુદ્ર પૂર્ણ ચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈન જાય? ઉભરાય જ.' ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પિતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા. અને આમ તેમ જોવા લાગ્યા. તેટલામાં દુઃખના કલેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતાને પતિને શોધવા માટે આવતી દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગેખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બોલવા લાગી કે-“અરે ક્રર કર્મના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતા નથી, તે જા. તેની સાથે તું પણું દૂર ખાડામાં જઈને પડ રૂષ્ટમાન કે તુષ્ટમાન થયેલે તું શું કરવાને હતો? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને તે પાછો આપ.
888888888888888888888888888888888888
Jan Education International
For Personal & Private Use Only
www.jane brary.org