________________
વિવેચન ]
.
[ ૭૯
‘તહીં ભટકવુ પડે છે! શિકારીઓના હાથ માં ફસાઈનય મરવું પડે છે. આ ભેદ કર્યો કેણે?
વળી પ્રાણીઓ માં તે ઠીક પણ પણ માણસામાં જ વિચાર કરશે તે ખબર પડશે કે બધાંય માણસો એક જ સરખી આકૃતિવાળા–બે હાથ બે પગ, અને એક માથાવાળા છતાંય તેમાં કેટલે તફાવત છે?
એવા એવા માણસે આ દુનિયામાં જીવે છે બિચારા કુતરા જેટલું સુખ પણ આખી જીંદગીમાં મેળવી શકતા નથી અને એવા માણસે દુનિયામાં છે કે જેની આંખ ફરતાં હજાર કરો-ચાકરો સેવામાં ખડા થઈ જાય છે. આ બધાં તફાવત કોના કારણે? - કઈ એવું કારણ હોવું જોઈએ કે જે દ્વારા આ બધાને ન્યાયપૂર્ણ જવાબ મલે ? શું કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ, કઈ પણ ક્ષેત્ર એટલે કેઈ પણ દેશ કે સ્થળ એવું છે ખરું કે જેના કારણે આ બધું તફાવત સંભવિત
હોય.
| ગમે તેવા પદાર્થને ધારણ કરેલા માન જુઓ છતાંય તે બધામાં વિચિત્રતા દેખાવાની જ માત્ર શરીરના કારણે જ સુખ દુખ હેય તેમ કહેનારે પણ સૌથી પહેલાં એ જવાબ આપ પડે કે બધા આત્માને શરીર કેમ જુદા મયા ? ભલે આ પ્રશ્નને જવાબ હમણાં આપણને ન આપે તેય ચલાવી લઈએ છીએ. વાદિને કહીએ, જે શરીર શાથી જુદા જુદા મળ્યા તેનું કારણ ન બતાવી શકે તે કંઈ નહીં પણ એક જ સરખા શરીરવાળા હજારોમાં એક લાંબા આયુષ્યાળે કેમ અન એક અલ્પ આયુષ્યવાળે કેમ ?