________________
૪૫૪] .
[ શ્રી સિદ્ધપદ બને ખરું કે દ્રવ્ય રહે અને કાળ વર્તવાનો અટકી જાય! જે કાળ ભવિષ્યકાળમાંથી વર્તમાન થઈને ભૂતરૂપે પરિણમી જતે હોવા છતાં ય ખૂટે તેમ ન બને તે તેનાથી ય વિશાળ સંખ્યાવાળા જી કેવી રીતે ખૂટે?
આવા કદી ય ન ખૂટનાર છે નિત્ય છે. આવા નિત્ય સિદ્ધોને નમસ્કાર કરીને આપણે નિત્ય અજર-અમર બન વાનું છે. આવી અપર્યવસાન સ્થિતિના માલીક બનવાનું છે.
પૂ. ટીકાકાર અભયદેવસૂરીશ્વરજી મહારાજ આત્મ સદ્ધોને એક જ રૂડો અર્થ બતાવીને થાકતા નથી. તેઓએ બીજે પણ સુંદર-રૂડે અર્થ બતાવ્યું છે તે આપણે આગળ વિચારીશું.
શાસ્ત્ર તે એ ગહન દરિયે છે કે તેમાં ડુબકી મારીને રત્ન કાઢતાં આવડે તે મહા સુખ મળે અને ડુબકી મારતાં ન આવડે તે પોતે જ તળિયે રત્ન થઇને ચૂંટી જાય ! આવા મહાન શાસને અવગાહીને આપણે ખુદ આપણું મેળે અર્થે પ્રાપ્ત ન કરી શકીએ તે કંઈ નહીં પણ ટીકાકાર ભગવંતે રત્નરૂપ અર્થો આપ્યા છે અને અમે વ્યાખ્યાતાઓ સોનામાં મઢીએ, તમે શ્રોતાઓ તેનાથી પિતાના વનને અલંકૃત કરે એ જ ભાવના.
જ