Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Kasturchand Zaveri

View full book text
Previous | Next

Page 512
________________ વિવેચન ] . [ ૪૧ ટીકાકાર મહર્ષિ આ વાકયમાં કહી રહ્યા છે કે સિદ્ધોને તે આપણું પર અતીવ ઉપકાર છે માટે તેઓ તે અવશ્ય નમસ્કરણીય છે. જ્યાં સુધી આપણે તેમની ઉપકારીતાને ન સમજીએ, બીજા ની ઉપકારીતાની સિદ્ધોની ઉપકારીતા સાથે સરખામણી ન કરીએ ત્યાં સુધી તેઓ અતીવ ઉપકારી છે તે કેવી રીતે સમજાય? માટે પહેલાં તે તેમની ઉપકારીતાને જ સમજવાની છે. અરિહંતે તે રાગ-દ્વેષ વિનાના હોવા છતાં ય ઉપદેશ દાન વડે આપણું ઉપકારી બની શકે છે પણ સિદ્ધો આપણું ઉપકારી કેવી રીતે બને ? નથી તે ઉપદેશ આપતા કે નથી તે જિનેશ્વર ભગવંતની મૂતિની માફક આપણે તે સિદ્ધ આત્માના દર્શન–વંદન કે પૂજન કરી શકતા. તે લેકના છેડે બિરાજેલા એ આપણું ઉપકારી થવાના કેવી રીતે? જેઓ આપણને કાંઈ આપતા નથી, જેઓ આપણું પાસેથી દુર્ગણો કે દેજો લઈ શકતા નથી તેઓ ઉપકારી કેવી રીતે બને તે સામાન્ય રીતે વિચારતા મુશ્કીલ જ લાગવાનું. અરિહંતની માફક આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતોને ઉપકાર તે સમજમાં આવે પણ સિદ્ધોને ઉપકાર સમજમાં આવતા નથી. પણ સમજમાં ન આવે તેથી ગભરાવાની જરૂર નથી. ગુરૂનો અર્થ શું છે? ગુરૂ એ જ કે જે અજ્ઞાનના–અણુસમજના અંધકારમાં પ્રકાશ પાથરે. ટીકાકાર મહર્ષિએ એને જવાબ આપે જ છે કે...સ્વવિષયપ્રદપ્રત્પાદનનપિતાના વિષયક પ્રમોદને પ્રકર્ષ પેદા કરવાથી, તેઓ અતીવ ઉપકારી છે. સિદ્ધોના ઉપકારને સમજવા માટે જરા ઊંડા ચિંતનની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554