________________
વિવેચન ]
[ ૪૫૧ ઉપાદાન ને ! તેમ છતાં મોક્ષમાં જતાં રોકાયા કેના કારણે?” કહે; યોગ્ય અન્ય નમિત્ત-કારણે નથી મળતા તેના કારણે કે ઉપાદાન; ઉપાદાનને સ્થાને મહાન છે તે નિમિત્ત; નિમિત્તના સ્થાને મહાન છે. દરેકના પિતાના ક્ષેત્રે છે. કોઈ પણ કારણ બીજાના ક્ષેત્રમાં મહાન નથી અને પિતાના ક્ષેત્રમાં હલકું નથી. આ ઉપાદાન એકાંતિક કાનજીસ્વામીની વાત તે કરવા જેવી નથી. સંયમ છોડ્યું અને ગાડી–ઘેડામાં મહાલવા માંડ્યું છે. વખત આવે ને તેમના અનુયાયીઓ ધા નીતિ નિયમોન-વ્યવહારિક બંધનેને ત્યાગ કરે તે કશું ય આશ્ચર્ય નહીં!
આત્મા કદી ખૂટે નહીં. આપણે વિચાર કરી રહ્યા છીએ તે વાતમાં સમજવાનું છે કે મોક્ષે જાય તે ભવ્ય જ હોય, પણ ભવ્ય હોય તે - મેક્ષે જ જાય તે નિયમ નથી. - જે કે તમે પ્રશ્ન કરતાં અટકી જાવ પણ અમારા જેવા હોય તે કંઈ પ્રશ્ન કરતાં અટકે ? તે તે હજી ય આગળ પૂછે કે વાતે ખરી, ભવ્ય હોય તે મોક્ષે જાય જ એ નિયમ નથી; પણ મોક્ષે જાય તે ભવ્ય જ હોય તે નિયમ છે. પણ એવા આત્માઓને છોડીને અર્થાત્ જેમને સામગ્રીને રોગ નથી થવાને તેવાને છોડીને બધા જ મોક્ષમાં જાય તે શું થાય! માત્ર અભવ્ય અને ભવ્ય હોવા છતાં સામગ્રીન એગ નથી થવાનો તેવા જ આત્માઓ અહીં સંસારમાં રહી જાય ને ! આખરે દશા તે એ જ આવેને કે મેક્ષમાં જવા માટે કઈ આત્મા બાકી રહે નહીં?
પણ આ પ્રશ્ન જ બેટ છે. જેમ અનંતકાળ પહેલાં પણ મેક્ષ ખાલી ન હતો. ત્યાં સિદ્ધના આત્માઓ હતા