________________
૧૭૬ ]
[ શ્રી સિધપટ, પાછો બ્રહ્મમાં મલી ગયે-વિલીન થઈ ગયે.” પણ આ વાતમાં ય કશું તથ્ય નથી.
જે બ્રહ્મમાંથી જ આ આત્મા પેદા થયે છે એમ માનીએ તો બ્રહ્મ કરતા જુદા સ્વભાવવાળો કેમ થયે? બ્રહ્મ તો સર્વવ્યાપી અને દુઃખ-દર્દ વિગેરેથી મુક્ત કહેવાય, તો જીવ કેમ દુખવાળે છે?
એક વસ્તુમાંથી છુટી પહેલી બીજી વસ્તુ તે જ મૂળી વસ્તુ કરતાં તદન વિપરીત સ્વભાવવાળી હોય તે છુટી પડેલી મનાતી વસ્તુ અને મૂળી વસ્તુ બંને એકે નથી એમ સિદ્ધ થઈ જ જાય છે,
સમજે કે, બે વાસણ એવી રીતે ચોંટી ગયા હોય કે કોઈને ખબર ન પડે પણ કોઈકે જુદા કરી આપ્યા તો શું માનશે ? બીજું વાસણ નહતું પેદા થયું કે પહેલાં હતું તે જ જુદું થયું ? જે પહેલાં નહોતું એવું જ વાસણ છુટું પડયું હોય તો હજી આગળ છૂટા પાડતા જાવ, કેમ અટકી જાવ છો ૧
એક વસ્તુમાં બીજી વસ્તુ છુપાઈ જાય, આપણ તેને ન દેખાય તેવું બને પણ તેથી તેનું અસ્તિત્ત્વ નથી તેમ ન જ કહી શકાય. દિવસે લાઈટ સળગતી હોય તો સૂર્યના પ્રકાશમાં ખબરે ય ન પડે કે લાઈટને પ્રકાશ આવી રહ્યો છે ક નહીં! છતાં ય તે સૂર્યના પ્રકાશ સમયે લાઈટને પ્રકાશ નથી તે કેવી રીતે કહેશે કે માત્ર સૂર્યના પ્રકાશમાં લાઈટને પ્રકાશ છુપાઈ જાય–અભિભૂત થઈ જાય તે બને. તેથી કંઈ લાઈટના પ્રકાશને નાશ થયે તેમ ન કહેવાય. પણ બારી-બારણાં બંધ કરી દે અથવા આકાશમાં વાદળાથી સૂર્ય ઘેરાઈ જાય કે તરત જ તમારી લાઈટને