________________
૧૯૦]
[ શ્રી સિધ્ધપદ છતા ય મેહમાં કેવા ફસાયા છે, કે નથી તે તમને તમારે કયાં પાછા ફરવાનું છે તે યાદ આવતું કે નથી તે કયાંથી આવ્યા તેને વિચાર કરવાનું મન થતું ? પણ વિચાર નહીં કરવા માત્રથી જે સત્ય હકીકત છે તેમાં કશે ય તફાવત પડવાને નથી.
કોઈ કામ માટે બે ગાઉ ચાલવાનું. હોય, કંઈક સ્વાર્થ સરે તેવું નિશ્ચિત હોય ત્યારે બે ગાઉ કેવા જોરથી -ચાલી જવાય છે. પણ ત્યાં પહોંચ્યા પછી બે ચાર કલાક બગાડ્યા પછી પણ જે કામે આવ્યા હોય એ ન થાય અને પાછા ફરવું પડે તે કેવું થાય ? પાછા ફરતી વખતે પગ કેવા ચાલે ?
પાંચ-પચીશ રૂપિયાને લાભ થવાનું સમજીને ગયા હોય અને કામ ન થાય તે પાછા ફરતાં કેવું દુઃખ થાય છે?
ત્યારે આવા મહામૂલ્યવાન મનુષ્ય જીવનમાંથી એમને એમ પાછું ફરવું પડશે એ વિચારે ય આવતું નથી કે એ વિચાર આવતાં હદય કાંપી ઊઠતું નથી એ મેહને કે જુલ્મ છે?
બીજા ગામ જવા માટે સ્ટેશન પર જાવ. સ્ટેશન પર -જાવ એટલે તે બધી તૈયારી કરીને જ જાવને ? ચાર દિવસ બહાર રહેવાનું હોય ય ચાર પિટલાં તે ઓછામાં ઓછા હેય ને? ત્યારે મનુષ્ય દેહમાં મુસાફરી કરવા આવ્યા હશે ત્યારે કંઈ ઓછી તૈયારી કરી હશે? પણ કંઈ યાદ આવે છે? યાદ ન આવતું હોય તે ય જ્ઞાનીનું વચન તે યાદ કરે. . પણ આવી રીતે પોટલા બાંધીને સ્ટેશન પર પહોંચ્યા