________________
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
આ સૃષ્ટિને આ રૂપમાં આવવાના પૂર્વે તે સત્ત્વ બ્રહ્મના મનમાં સિસૃક્ષાઆ જગતને ઉત્પન્ન કરવાની ઇચ્છા હતી તેજ આ સૃષ્ટિના બીજભૂત થઇ. કેમકે અતીત કલ્પમાં પ્રાણીયાદ્વારા કરેલું કમ તે સમયે હતું એટલાજ માટે સ ફલદાતા, સાક્ષી કર્માધ્યક્ષ, પરમેશ્વરના મનમાં સિરુક્ષા થઈ. કવિ અર્થાત ક્રાંતદર્શી વિદ્વાન્ જ આ જગતના બંધન હેતુ ગતકલ્પગત કસમૂહને પેાતાની વિવેક દૃષ્ટિથી જાણી લે છે. ૫ ૪ ૫
૨૦
ર
જે કમ સમૂહના કારણે કર્માધ્યક્ષના મનમાં સિરુક્ષા ઉત્પન્ન થઇ તે સિસૃક્ષા એકદમ એવી વ્યાપ્ત થઇ જેમકે સૂની રશ્મિએ એકદમ સત્ર વ્યાપ્ત થઇ જાય છે. ફરી એ પત્તો ન મલ્યા કે સૃષ્ટિક્રમ કયાંથી પ્રારંભ થયા, નીચેથી ઉપરથી, કે મધ્યથી, કાંઇ જાણી શકાયું નહીંઅર્થાત્ સિસૃક્ષાના સમકાલેજ સત્ર સગક્રિયા પ્રારંભ થઇ. જવામાં કોઇ ભેાક્તા હતા, કાઈ કર્તા હતા, અને તેમના લીધેજ મહાન વિયાદિ પચમહાભૂતની સૃષ્ટિ થઈ. એ પ્રકારે પરમાત્માએ માયાસહિત ભાતૃ ભાગ્ય રૂપથી સૃષ્ટિ રચી. ॥ ૫ ॥
કયા પુરૂષ ખરેખરૂ બતાવી શકે છે અથવા જાણી શકે છે? કે સૃષ્ટિ કયા નિમિત્તે અથવા ઉપાદાન કારણથી બની ? વિદ્વાન તેા એ વાતને બતાવી શકશે ? વિદ્વાન કેવા પ્રકારે બતાવી શકશે ? તે તે · સૃષ્ટિ ઊત્પત્તિના અનંતર ( પછી ) ઊત્પન્ન થયા. તે પાતાથી પૂર્વ કાલમાં વિદ્યમાન દશાને બેધ કેવી રીતે કરાવી શકશે ? ।। ૬ ।
આ સૃષ્ટિ યા નિમિત્તથી અથવા ઉપાદાન કારણથી બની ? અથવા એના ધારણ કરવાવાળા કાઇ છે કે નહી ? એ વાતને કોઇ જાણતા હશે તે તેજ એક કર્માધ્યક્ષ, સ્વર્ગાધ્યક્ષ પરમાત્મા જાણતા હશે. ॥ છ
આ ઋગ્વેદના સૂક્તના ટુંક સાર—
પ્રલય દશામાં—પૃથ્વી, આકાશ, ઘુલેાક આદિ કાંઇ જ ન હતું, જીવ પણ વિલીનજ હતા, ભાગ્યેજ ન હતુ તે ભાતા જીવ ક્યાંથી હોય ? અરે સમુદ્ર મહાસમુદ્ર આદિ કાંઇ જ ન હતુ. સૂર્ય ચંદ્રજ ન હતા તે પછી દિવસ રાત્રિ કયાંથી હાય ? માત્ર એકલા બ્રહ્મજ પેાતાના આશ્રયમાં સ્થિત હતા, ગૂઢ અંધકારમાં કાંઇ જ્ઞાનજ ન થઈ શકતુ હતું. બ્રહ્મને સૃષ્ટિ ઊત્પન્ન કરવાની જે ઇચ્છા તે જ ખીજ, પૂર્વ કલ્પમાં કરેલાં જીવાનાં કમ વિદ્વાન પાતાની વિવેક દષ્ટિથી જાણી લે છે. સૃષ્ટિ રચવાની ઇચ્છા એવી પસરી કે જાણે સૂર્યની કરણા. તેના રૂપની ખબર જ ન પડી. જીવામાં કઇ ભક્તા તે કાઇ કર્તા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org