________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ બે પ્રકારના છે, સંસારી તથા સિદ્ધ તેમાં સંસારી જીવના બે ભેદ છે, ૧ત્રસ અને ૨ સ્થાવર તેમાં સ્થાવરના પાંચ ભેદ છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, તેમજ ત્રણ જીવના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય. ચતુરિન્દ્રિય અને પચંદ્રિય એ ચાર ભેદ છે. એમ છવના પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. ચેતના લક્ષણથી છવ એક પ્રકારે છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ જીવ બે પ્રકારે કહેવાય છે. સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંસક વેદ, આ ત્રણ દિવાળા છે દુનિયામાં વતે છે, માટે ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકી આ ચાર ગતિની અપેક્ષાએ જીવ ચાર પ્રકારના કહે છે, તેમ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ જીવ પાંચ પ્રકારે કહેવાય છે. કાયની અપેક્ષાએ જીવ છ પ્રકારે કહેવાય છે. વળી નવતત્ત્વ પ્રકરણમાં જીવના ચઉદ ભેદ કથન કર્યા છે –
गाथा एगिदिअ सुहुमियरा, सण्णियर पणिदियास बितिचउ ॥ अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जीयठाणा ॥ १॥
એકેદ્રિયના સૂક્ષ્મ અને બ દર એ બે ભેદ છે. પંચેન્દ્રિય જીવે સંજ્ઞી અને અસંશી એ બે ભેદે છે.
For Private And Personal Use Only