________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩). આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં પણ હિંસાદિકને સંભવ થતું નથી. તેનું કારણ કહે છે. હિંસ્યની સાથે નાશનું જે નિમિત્ત દંડાદિક કારણ તેનો સંબંધ નહીં હોવાથી હિંસાદિકની ઉપપત્તિ સિદ્ધ થતી નથી. શા કારણથી સંબધ થતો નથી તેનું સમાધાન કરે છે કે વસ્તુને ક્ષણિક માનવાના કારણથી.
ભાવાર્થ – બૌદ્ધમતાનુયાયી સર્વ વસ્તુને ક્ષણિક માને છે, તેમના મતમાં એક ક્ષણમાં વસ્તુ રહે છે, બીજા ક્ષણમાં વસ્તુને નાશ થાય છે. જડ અને ચૈતન્ય વસ્તુ પણ એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે, અને બીજા ક્ષણમાં (સમયમાં) નાશ પામે છે.
જ્યારે આમ છે, ત્યારે હિંસનક્રિયા, હિંસ્ય અને હિંસકની સિદ્ધિ થતી નથી. જેમ ચિત્રે એક સમયમાં મિત્રને માર્યો. ચિત્રને તથા મિત્રને આત્મા બીજા સમયમાં નષ્ટ થયે. ત્યારે બીજા સમયમાં ઉત્પન્ન થએલા આત્માને પ્રથમ સમયમાં ચૈત્રે કરેલા પાપનું ફળ લાગી શકે નહીં, કારણ કે બીજા સમયમાં ચિત્રને આત્મા નષ્ટ થયેલ છે. જ્યારે આ પ્રમાણે હિંસક કેઈ ઠર્યો નહીં, તે હિંસા પણ સિદ્ધ થઈ નહિ, અને જ્યારે હિંસા સિદ્ધ થઈ નહી, ત્યારે તેનું ફળ દુઃખ વિગેરે પણ સિદ્ધ થતું નથી. જે કહેશે કે પ્રથમના આત્માએ પાપ કર્યું, અને બીજા સમયના આત્માને તે લાગ્યું, તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે બીજા
For Private And Personal Use Only