________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩). નષ્ટ થતી નથી, તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાત નયથી એક વસ્તુનું સ્વરૂપ કહેતાં, વસ્તુ નષ્ટ થતી નથી. આ સત્ય વાત છે–કેમકે એક દેવ વજાને ધારણ કરે છે, ત્યારે વજી કહેવાય છે, અને જ્યારે પરઐશ્વર્યને ધારણ કરે છે, ત્યારે ઇન્દ્ર કહેવાય છે, અને જ્યારે પુરને દારણ કરે છે, ત્યારે પુરંદર કહેવાય છે. ઈત્યાદિ એક દેવવ્યક્તિને ધારણ કરે છે, ત્યારે શક કહેવાય છે. ઈત્યાદિ.એક દેવવ્યક્તિમાં જુદા જુદે વ્યવહાર થવાથી જેમ દેવપણું નષ્ટ થતું નથી, તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાતનયથી, એક વસ્તુનું સ્વરૂપ કહેવાથી, વસ્તુની નષ્ટતા થતી નથી, પરંતુ વિશેષતઃ સમ્યગ્રજ્ઞાન થાય છે. શ્રી તવાર્થભાષ્યમાં પંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠમાં કોણ જ્ઞાન કયા નયને વિષય છે? તે બતાવ્યું છે તે નીચે મુજબ–
नेगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयंते,ऋजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् ॥ अत्राह कस्मान् मति सविपर्ययां न अयत इति । अत्रोच्यते श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात् । शब्दनयस्तु द्वे एव श्रुतज्ञानकेवलज्ञाने श्रयते अत्राह । कस्मान्नेतराणि श्रयत इति । अत्रोच्यते । मत्यवधिमन: पयोयाणां श्रुतस्यैवोपग्राहकत्वात् । चेतनाज्ञस्वाभाव्याच सर्वजीवानां नास्य कश्चिन् मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते
For Private And Personal Use Only