________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૯ )
રાસભ વિગેરે છે. તેમ આત્માની પરમાત્મદશા થવામાં ઉપા દાન કારણ તે જ્ઞાનદન ચારિત્ર છે, અને નિમિત્ત કારણ દેવ, ગુરૂ આદિ છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતાં આ આત્મામાં રહેલી પરમાત્માની સત્તા પ્રગટ થાય છે. તેથી તે નિમિત્તકારણુ કહેવાય છે, અને તે અપેક્ષાએ સિદ્ધ પર માત્મા સ્વામી અને ધ્યાન કરનાર આત્મા સેવક કહેવાય છે,
શકા=જૈન ! ! સિદ્ધ પરમાત્મા સમાન સત્તાથી પેાતાના આત્મા છે; એમ આત્મા અલ્પજ્ઞાનથી જાણે છે કે સંપૂર્ણ જ્ઞાનથી ? અપનપક્ષ લેશે, તે યુક્તિહીન છે. બીજો પક્ષ લેશે, તે હાલ કેઇ સિદ્ધાંતી સપૂર્ણ જ્ઞાનવાળા જણાત નથી. તેથી તમારૂ વચન સિદ્ધ થતુ નથી તેવું કેમ ?
સિદ્ધાંતી—હૈ. પ્રિય ભવ્ય ! સાંભળે, સ્યાદ્વાદતત્ત્વા પાસકે, પેાતાના અલ્પજ્ઞાનથી આત્મા પરમાત્મસમાન છે, એમ માનતા નથી. તથા સંપૂર્ણ જ્ઞાન કે જે કૈવલજ્ઞાન ૪હેવાય છે, તે તે હાલ નથી તેથી જો પક્ષ પણ અમે સ્વીકારતા નથી પણુ આજથી બે હજાર ચારસે તેત્રીસ વર્ષ ઉપર ચૈવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુ કેવલજ્ઞાની થયા, તે લેાકાલાકની રા‘પૂર્ણ વસ્તુઓના જ્ઞાતા હતા, તેમની ઉપદેશવાણી સૂત્રરૂપ છે. તે વાંચીને વા સાંભળીને જાણીએ છીએ. જેમ હાલ અમેરીકાના નકશે જોઈને કહીએ છીએ કે અ મુક ઠેકાણે પર્વત આવ્યા છે, અમુક સ્થાને નદી છે, પેતે
For Private And Personal Use Only