________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૦ ) આપે છે, એમ કહેવું તે અજ્ઞાનમૂલક છે, કેમકે જુએ આપણે હાથમાં અગ્નિ ગ્રહણ કરીએ અને કહીએ કે મને ઈશ્વર બાળે છે, એ કેવું બેટું છે? પ્રત્યક્ષ દેખાય છે કે હાથમાં અગ્નિ ગ્રહણ કરતાં દાહકત્વગુણ અગ્નિને છે, તેથી અગ્નિ બાળે છે. તથા પિતાના પેટમાં છરી મારીએ અને કહીએ કે મને ઈશ્વરે વેદના કરી, આ કેવી ભૂલ ભરેલી વાત છે? અંધજડ વિના આમ કોઈ માની શકે નહીં. જ્ઞાની તે કહેશે કે મારા હાથે કરી પેટમાં મારી તો વેદનાનું કારણ છરી ઠરી તેમાં ઈશ્વરની ક૯૫ના જૂઠી ઠરે છે, તેમ અત્ર પણ જ્યારે જીવ પોતે કમને ર્તા છે ત્યારે તે કમથી થતા સુખદુઃખને ભોક્તા પિતે કેમ કહેવાય નહીં? સુખદુઃખ આપનાર અલબત્ત કર્મસિદ્ધ ઠરે છે, અને તે કર્મને કર્તા આત્મા છે, એમ સિદ્ધ ઠરે છે, સમજવાનું કે ઈશ્વર, જીને બનાવનાર નથી. તે ને સુખદુઃખ આપનાર નથી, તેથી તમારે માને છને સુખદુઃખને આપનાર ઈશ્વર સિદ્ધ કરતો નથી. તથા વળી કહેવાનું કે એક દેશી સાકાર ઈશ્વર સિદ્ધજ કરતો નથી, જે ઈશ્વરને દેહવાળો માનશે તે કર્મવિના દેહ હેય નહીં, અને રાગદ્વેષ વિના કર્મ લાગે નહીં. તેથી ઈશ્વર પણ રાગદ્વેષી સિદ્ધ ઠર્યો, તેથી તમોએ માનેલું, ઈશ્વરપણું ગયું, કેઈ પણ પ્રમાણથી તમારૂં માનેલું ઈકવરપણું સિદ્ધ ઠરતું નથી. જો તમે ઈવર
For Private And Personal Use Only