________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૧૯ ). ધર્મરૂપી પુરૂષનું એક અંગ માનીને, બીજા અંગનું ખંઠન કરે છે, અને પુરૂષનો નાશ કરે છે ત્યારે જૈનદર્શન સર્વ ધર્મ અંગને સાપેક્ષતાએ, ભેગાં મેળવીને ધર્મરૂપી પુરૂષનું પ્રતિપાદન કરે છે, માટે જૈન ધર્મ તે સર્વાગી છે, અને બીજા દર્શન અંગ છે. માટે અંગભૂત જૈનધર્મનું આરાધન કરવાથી, સર્વ ધર્મરૂપ અંગનું આરાધન થઈ શકે છે. માટે દુનિયામાં સાપેક્ષબુદ્ધિથી સર્વધર્મ સાર ગ્રહણ કરનાર અને શાંતિ તથા ભ્રાતૃભાવ, સંપ ફેલાવનાર જૈનધર્મ છે અને જૈનધર્મના આરાધનથી મુકિત મળે છે, જૈનધર્મરૂપ મહાસમુદ્ર છે. તેમાંથી ઉછળેલા બિંદુસમાન દુનિયાના અન્ય ધર્મો છે. પડદશન છે, તે જનકથિત ધર્મનાં અંગ છે, અને જૈન ધર્મ તે અંગી છે તે ઉપરશ્રી આનંદઘનજી મહારાજશ્રી કહે છે કે–
नमिनाथ स्तवनम्.
છે પથા. || षड् दर्शन जिन अंग भणीजे, न्यायषडंगजो साधेरे, नमि जिनवरना चरण उपासक, षडदर्शन आराधेरे० षट् ॥१॥ जिन सुर पादप पाय वखाणुं, सांख्य योग दोय भेदेरे, आतमसत्ता विवरण करता, लहो दुग अंग अखेदेरे. षट् ॥२॥ भेद अभेद मुगत मीमांसक, जिनवर दोयकर भारीरे,लोकालोक अवलंबन भजीए, गुरुममथी अवधारीर. षट् ॥३॥
For Private And Personal Use Only