________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
લમાં વર્તે છે, તેથી જગત્ વાત માનવાથી અનાદિકાળથી જગત્ છે, અને તેને અંત આવશે નહીં. માટે જગતને એકાંત સત માનવાથી તેને કત્તાં ઈશ્વર કહેવાય જ નહીં. જગતને એકાંત અસત્ માનશે, તે આકાશ ફુલ જેમ એકાંત અસત્ છે, તેને કઈ ઉત્પન્ન કર્તા નથી, તથા તે આકાશકુસુમવત્ અસતું હોવાથી ત્રિકાલમાં ઉત્પન્ન થતું નથી. તેમ જગત્ પણ એકાંત અસત્ હેવાથી તેની ત્રિકાલમાં ઉત્પત્તિ થઈ શકે નહીં. તે તેને કર્તા ઈશ્વર કેમ કહેવાય ? અપિતુ કદાપિ કાળે કહેવાય નહીં, માટે એ બે પક્ષથી પણ ઈશ્વર જગતકર્તા સિદ્ધ કર્યો નહીં. તથા વળી રાગદ્વેષ રહિત એ ઈશ્વર તેને જગત રચવાનું કંઈ પણ પ્રજન નથી. પ્રીતિ કહે છે કે, દુનિયાનો બનાવનાર ઈશ્વર તેમના ઈશ્વરથી જુદો છે અને તેણે છ દિવસમાં દુનિયા બનાવી, અને રવિવારના દિવસે થાક લીધે, અને દુનિયાને બનાવ્યાને લગભગ છ હજાર વર્ષ થઈ ગયાં. બ્રહ્મવાદી કહે છે કે, જગતને કર્તા બ્રહ્મા છે, અને વિષ્ણુધર્મવાળા કહે છે કે, જગતને બનાવનાર વિષ્ણુ છે. આ સર્વમાંથી એક પણ જગતને કર્તા પૂર્વોકત દૂષણયુક્ત હોવાથી સિદ્ધ કરતું નથી. ત્યારે કેઈ કહેશે કે, જગતુ એકાંત કાર્યરૂપ નથી. જગતની અંદર નવતત્વને સમાવેશ થાય છે. આ
For Private And Personal Use Only