________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૮ )
તે પણ બરાબર જાણી શકતા નથી, માટે ત્રીજો પક્ષ પણ માની શકાશે નહીં. પક્ષ લેઈ કહેશે કે, કેવળ શુદ્ધબ્રહ્મમાં જ્ઞાન હોય છે ને તેથી સર્વજ્ઞાન થાય છે તે ત. મારા કહેવાથી સિદ્ધ ઠર્યું કે શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે, ત્યારે તેથી વ્યતિરેક દષ્ટાંતેકરી અશુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન નથી. અશુદ્ધ બ્રહ્મ તે શુદ્ધ બ્રહ્મ થાય છે, તે સિદ્ધ ઠર્યું કે-બ્રહ્મની અશુદ્ધતા માયાના સંબંધથી થાય છે, અને જ્યાં સુધી માયાને સંબંધ છે ત્યાં સુધી તે શુદ્ધ બ્રહ્મજ્ઞાનિને અશુદ્ધ બ્રહ્મ સેવક ઠર્યો, અને જ્યારે શુદ્ધ બ્રહાદશા થશે, તતઃ પશ્ચાત સેવકપણું રહેશે નહીં, એ વાત સિદ્ધ કરી. તથા અશુદ્ધ બ્રહ્મ સિદ્ધ ઠરવાથી, અશુદ્ધ આત્મા, કર્મના સંબંધથી અને શુદ્ધ આત્મા, કર્મના નાશથી થાય છે, એમ વીતરાગનાં વચન છે, તેની સિદ્ધિ થઈ. હવે આઘમાં કરેલા બીજા પક્ષ ને તમે અંગીકાર કરીને કહેશે તે તે પણ વિચારશૂન્ય છે, તે બતાવે છે. છોની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કે પરમાત્મા છે અને તેનાથી જ બિન નથી, એમ માનશે તે અમે કહીશું કે જેની સત્તાથી ભિન્ન વ્યક્તિ તરીકે અન્ય કઈ પરમાત્મા માનવાથી જીવોની સરાથી પરમાત્માની સત્તા ભિન્ન ઠરશે, અને તેથી સર્વ જી. વેને એક આત્મા માનવાને સિદ્ધાંત શશશુગની પેઠે અને સત્ય ઠરે છે; કારણ કે, જીઓની સત્તા ભિન્ન હોવાથી,
For Private And Personal Use Only