________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦૫) વહાર સર્વ ઘડાઓમાં થાય છે, તેથી માટી–મૃત્તિકારૂપ સામાન્ય સત્તાની અપેક્ષાએ સર્વ ઘડાઓ એક કહેવાય છે, તેમ જૈને વ્યકિતની અપેક્ષાએ અનંત આત્માઓ સ્વીકારે છે, અને અનંત આત્માઓમાં જ્ઞાનાદિક ધર્મ સરખા રહ્યા છે. જ્ઞાનગુણાદિકથી સર્વથા રહિત કેઈ આત્મા નથી, તેથી આત્મ ધર્મની અપેક્ષાએ અનંત આત્માઓ એક સરખા છે, માટે તે કથંચિત્ એક કહેવાય છે, પણ તેથી અનંત આત્માવ્યકિતઓની અસ્તિતા સિદ્ધ કરતી નથી, અર્થાત્ આત્મા અને નંત છે, તે વ્યકિતની અપેક્ષાએ સિદ્ધ કરે છે. સવ આમાઓનું જ્ઞાનાનિક ગુણથી એકપણું જૈનદર્શન સ્વીકારે છે, તેથી વેદાંત દર્શનને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે પણ અત વેદાંત, આત્માની સત્તાને જ સ્વીકારી, અનંત આત્મા વ્યકિતથી ભિન્ન ભિન્ન છે, એમ બીજી બાજી બાજુ તરફ નહીં જતાં તેને અ૫લાપ કરે છે, માટે તે સર્વ દેશી નથી, પણ તે એક દેશી હોવાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે, આ વાતથી પણ સિદ્ધ થયું કે, જૈનદર્શન સર્વ દેશી છે, તેથી તેમાં વેદાંત દર્શનનો સમાવેશ થાય છે. માટે જૈન દશન સત્ય દર્શન છે.
પ્રશ્ન:--વૈષ્ણવ ધર્મને જૈન ધર્મમાં કેવી રીતે સમાવેશ થાય છે ?
ઉત્તર–વૈષ્ણવ ધર્મમાં કૃષ્ણની ઉપાસના થાય છે,
For Private And Personal Use Only