________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬) કહેવું વિચારશૂન્ય છે. કારણકે, અનુભવથી તે વાત વિ રૂદ્ધ છે–“તમે કહે છે કે પ્રથમ મેટા મહાત્માઓ થઈ ગયા, તે સર્વ દેશને જાણતા હતા, તે તે શરીરના સંબંધ વડે સર્વ દેશને જાણતા હતા કે, શરીરને સંબંધ વિના ? તમે કહેશે કે શરીરના સંબંધથી જાણતા હતા–ત્યારે અને મેં પુછીએ છીએ કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્મથી જસુતા હતા કે અશુદ્ધ બ્રહ્મથી ? તમે કહેશે કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્નાથી સર્વ જાણુતા હતા, ત્યારે પુછવાનું કે અનાદિ કાળથી શરીરના સંબંધ વડે શુદ્ધબ્રહ્મથી સર્વને કેમ નહેતા જાણતા? તમે કહેશે કે પ્રથમ માયા નડતી હતી અને માયાને નાશ થાય છે ત્યારે સર્વને જાણે છે ત્યારે બસ સિદ્ધ કર્યું કે, માયા કહે કે કર્મ કહે, તે જ્યાં સુધી નડે, ત્યાં સુધી સર્વ જ્ઞાન થતું નથી, એમ જૈનદ
ન માને છે, અને જ્યારે માયા યાને કર્મને નાશ થાય છે, ત્યારે કેવલજ્ઞાન થાય છે એમ અમારા મતને આશ્રય લેવાથી અનાદિ કાળથી બ્રહ્મ નિર્લેપ છે, અને માયા નડતી નથી, આ તમારે સિદ્ધાંત મૂળથી ઉ4 ગયો. તમે કહેશે કે શરીર સંબંધ છૂટયા બાદ શુદ્ધબ્રહ્મ, સર્વ દેશને જાણે છે, તે સમજવું કે, શરીર સંબંધ છૂટયાથી મુખ વિના કોની આગળ સર્વત્રવ્યાપક બ્રહ્મ છે એમ કહી શકશે ! કારણ કે મુખ વિના શબ્દનું ઉચ્ચારણ થતું નથી, અને શ
For Private And Personal Use Only