________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૬) અને તેથી આત્મા, ઉત્તમ દેવાદિક ગતિ પામે છે. જે તમારા હૃદયમાં કોઈની નિંદાની ભાવના થશે, વા અમુક વ્યભિચારી છે, અમુક ઢંગી છે, અમુક કપટી છે, અમુક શેર છે, એવી ભાવનાની ફુરણા થશે, તે અ૫ એવી પણ ખરાબ ભાવનાના સંસ્કાર પડવાથી, વારંવાર તમારા હૃદયમાં ખ રાબ ભાવનાના વિચારે ઉત્પન થશે. જેમ કોઈ મનુષ્યને અફીણનું વ્યસન લાગે છે, તે તે જેમ છુટતું નથી, તેમ તમે પણ જે હૃદયમાં નઠારી ભાવાનાના વિચારો કરશે, તે પછી તે નઠારા વિચારે તમને બનતા પ્રયત્ન છોડશે નહીં. તમારા આત્માને નઠારી ભાવનાના વિચારોથી બચાવીને સારી ભાવનાના વિચારમાં મૂક, એ રાધાવેધ કરતાં પણ મોટું કામ છે.જેમ નઠારાં બીજ અને સારાં બીજ ઉગીને,સારાં તેમજ નઠારાં ફળને આપે છે, તેમ તમારા હૃદયમાં ઉઠેલી નઠારી અગર સારી ભાવનાએ નઠારા તેમજ સારા ફળને આપ્યા વિના રહેશે નહિ. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે, પોડહં ઈત્યાદિ શબદથી પિતાના આત્માને પરમાત્મરૂપ માન અને પરમાત્મામય થવા ધ્યાન કરવું એ ઉત્તમેત્તમ ભાવના છે, અને એવી ઉ ત્તમ ભાવનાથી, પોતાનું ઉત્તમોત્તમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, માટે તમારા આત્માને ઉત્તમ ભાવનાથી પરમાત્મા સ્વરૂપ માને છે, જેથી તમે પરમાત્મામય થાઓ. ખરેખર આત્મા પરમાત્મા છે. ધ્યાનસંધિ પણ આત્મા
For Private And Personal Use Only