________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮). માગે તે તુરત પ્રેમથી આપતા. જેટલું ધન ઓછું થતું તેટલું નવું બનાવી લેતા. ધનને તે ગણતાં પણ પાર આવતે નહે. મોટાં મોટાં ધર્મનાં સ્થાનકે કરી, પોતાના નામનાં પત્થરનાં પાટીયાં પૃથ્વીમાં ઘલાવ્યો કે જેથી બીજાઓ પોતાના નામની યાદી કરે. ન શાળાઓમાં અને કન્યાશાળાઓમાં પણ કરડે રૂપિયા ખરચી અંતરની આશાએની સાફયતા કરવા પ્રયત્ન કરતા હતા. એક દિવસ તેમણે કોઈ મહાત્માના મુખમાંથી સાંભળ્યું કે કાર્તિક શુદિ પૂર્ણિમાના દિવસે, શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરનાર શ્રાવકેને તથા શ્રાવિકાઓને એકમને દિવસે જમાડે, તેને અનં. તગણું ફળ થાય છે. જે શ્રી સિદ્ધાચલ તીર્થે ગમન કરી સાધુ સાધ્વીને આહાર પણ ભાવથી વહોરાવે છે, તેને અનંત ઘણું ફળ થાય છે, જેણે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી નથી તે માતાના પેટમાં છે. સર્વ તીર્થના રાજા શ્રી શત્રુંજ્ય તીર્થ છે. આવી વાત સાંભળી, ચેતનલાલ તેજ દિવસે ત્યાં ગયા અને પૂર્ણ ભાવથી તીર્થની યાત્રા કરી. તેમણે કાર્તિક વદિ એકમના દિવસે લાખો શ્રાવક શ્રાવિકાઓને નવકારશી કરી જમાડયાં. લાખ ગરીબ લોકોને અનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, દીધું. સાધુઓને તથા સાધ્વીઓને પતે હાથે પ્રેમથી વહોરાવવા લાગ્યા, આગળ પાછળના ગામમાં રહેલા સાધુઓને ત્યાં જઈને વિધિ પૂર્વક દર્શનાદિક કરી આહાર તથા
For Private And Personal Use Only