________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( i )
.
ખસે છે, તે તે અંશે આત્મામાંથી જ્ઞાનશકિતના પ્રકાશ પડે છે. જ્ઞાનશક્તિ આત્માના પ્રદેશોના ત્યાગ કરી, અન્યત્ર જતી નથી. દરેકના આત્મામાં જ્ઞાન રહ્યું છે. છદ્મસ્થષ્ટિથી તમે તમારા જ્ઞાનનું રૂપ દેખવા જશેા તા દેખાશે નહીં. માટે જ્ઞાન” ને અરૂપી કહ્યું છે. તથા વળી વણુગંધરસ સ્પર્શ વાળી વસ્તુ, રૂપી હોય છે. જ્ઞાનમાં તેમાંનું કશું નથી, માટે જ્ઞાનને અરૂપી કહે છે. આત્માની જ્ઞાનશકિત જ્ઞેયપદાર્થોની પાસે જઈ જ્ઞેયને પ્રકાશ કરતી નથી. તેમ જ્ઞેય સવ` પદાર્થો જ્ઞાનમાં આવીને પડતા નથી, ત્યારે જ્ઞાનશકિત જ્ઞેયપદાર્થને પ્રકાશ શી રીતે કરતી હશે ? પ્રત્યુત્તરમાં સમજવાનું કે જ્ઞાનમાં એવા પ્રકારની શકિત છે કે લાખા ગાઉ દૂર રહેલા પદાર્થોના પણ પેાતાનામાં ત્યાં ગયા વિના ભાસ કરી શકે છે. ત્રણભુવનના પ્રત્યેક પદાર્થનું સૂક્ષ્મસ્વરૂપ જ્ઞાનશકિતથી જાણી શકાય છે. આવી અનંતજ્ઞાનશકિત દરેકના આત્મામાં રહેલી છે, પણ જ્ઞાનાવરણને દૂર કરે, તે પૂર્વોક્ત જ્ઞાનશક્તિના પ્રકાશ થાય, જ્ઞાનગુણુકિતના આધારીભૂત આત્મા આખા શરીરમાં વ્યાપી રહ્યા છે. તેજ આત્મા જ્ઞાનશક્તિથી ઇન્દ્રિયાદ્વારા ભિન્ન ભિન્ન વિષયને જાણી શકે છે. આત્મા જ્યારે જ્ઞાનથી પેાતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, અને એકાગ્રચિત્તથી ધ્યાન કરતાં સ્થિરતા પામે છે. ત્યારે આત્માના પ્રદેશાને લાગેલાં જ્ઞાનાવરણીયાહિમ ખરી જાય છે, અને તેને અંશે સા
For Private And Personal Use Only