________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ભિક્ષુકીએ કહ્યું, શેઠ ! મારી કઈ ભૂખ ભાગનાર નથી. મારે બહુ ખાવા જોઈએ છીએ. જે ખાતાં બીજું ભજન ન મળે તે મહાદુઃખ થાય છે. માટે મારું દુઃખ મને ભેગવવા દે. શેઠે કહ્યું કે –તારે જેટલું જોઈશે, તેટલું પૂર્ણ કરીશ. ભિક્ષુકીએ કહ્યું ! જે મારું પેટ નહીં ભરાશે તો હું તને ખાઈ જઈશ. જે તું આ પ્રતિજ્ઞા કબૂલ કરતો હોય તે ભલે તારી ઈચ્છા પૂર્ણ કર !! શેઠે પ્રતિજ્ઞા કબૂલ કરી મનમાં વિચાર્યું કે, બિચારી ભૂખી છે, તેથી તેને એમ લાગે છે કે, હું સર્વ ખાઈ જઈશ, જોઈએ તે ખરા તે ખાઈને કેટલું ખાય છે? મેં સર્વાની આશાઓ પૂર્ણ થાય તેટલું દાન આપ્યું છે તો આ બિચારી ભિક્ષુકીના શા ભાર. ભિક્ષુકીએ કહ્યું, હે શેઠ ઉતાવળ કર ! લાવ ભેજન, મરી જાઉ છું. શેઠે કરે મારફતે ત્રણ મણ ચાર મણ લાડુ મંગાવ્યા. શેઠ જેમ જેમ આપવા માંડયા, તેમ તેમ તે વિશેષ ખાવા માંડી. પા કલાકમાં એટલા બધા લાડુ ખાઈ ગઈ, પછી કહેવા માંડી કે, અરે શેઠ લાવ ખાવાનું, મને ભૂખના ભડકા ઠાતા નથી. શેઠે પાશ મણ બીજ લાડુ મંગાવ્યા. તે એક તરફ ખાતી જાય છે, અને બીજી તરફ હજારો નોકર મિષ્ટ લાડુ લાવતા જાય છે. દશમિનિટમાં તે તે એટલા લાડુ ખાઈ ગઈ, અને પછી શેઠને ખાડાવાળે પેટ દેખાડવા માંડી. એટલામાં બસે મણ લાડુ આવી પહોંચ્યા
For Private And Personal Use Only