________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) તન નામ ધારકને !!! આત્મ શુદ્ધ સ્વભાવના ઉપગે ધમ છે, એમ હે ભવ્ય !! પૂર્વોક્ત દષ્ટાંતથી સમજ. ઘણું arો ધો આત્માને શુદ્ધ સ્વભાવ તેજ ધર્મ છે, તેની પ્રાપ્તિ માટે નિમિત્ત કારમાં પણ ધર્મ છે; એમ માની પ્રવર્તવું. દેવ ગુરૂ પુજા-દાનાદિક નિમિત્તકારોને ઉત્થાપતા; કદાપિ કેઈને આત્મા પરમાત્માપદ પામશે નહિ! એ વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં લેઇ ને, વસ્તુસ્વભાવરૂપ ધર્મના ઉપગમાં રહેજે. એમ સમજતાં, શ્રદ્ધા કરતાં, અને આ મસ્વભાવમાં રમણતા કરતાં સર્વ કર્મને નાશ થાય છે.
હે ભવ્ય ! તું ખાદ્યપદાર્થોમાં ચિત્તવૃત્તિ વાળી સુખ કયાંથી પામીશ ? શરીરમાં રહેલા જ્ઞાનવાન આત્માને અન્તરદષ્ટિથી દેખ !! અસંખ્યપ્રદેશી આત્મા તેજ તું ખાસ છે. ત્રણે કાળમાં તું જડ રૂપ નથી એવો નિશ્ચય કર !! અનંતા તીર્થકર તથા અનંતા મુનિયો અન્તરાત્મપ્રભુનું ધ્યાન કરી પરમાત્મ પદ પામ્યા, અને અનંત પામશે. તેજ નિર્મલ આત્મા પ્રભુ તું છે. જડરૂપ તું નથી. હે ચેતન ! તારૂ સ્વરૂપ તું સંભારી લે! હવે ભૂલીશ નહીં. તું સ્વપર પ્રકાશક ચેતન છે. કયાં જડ પુદગલમાં અહંતવ બુદ્ધિથી પિતાને ઓળખે છે, પણ તું તારા સ્વરૂપમાં છે. એમ જ્ઞાનદષ્ટિથી જાણ!! હવે તેજ આત્મસ્વરૂપનું વિશેષતઃ વિવેચન કરે છે.
For Private And Personal Use Only