________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) તાપ વિલાસ ચારે તિ ગત ઘાસનુમાનોपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायते इति ॥
ભાવાર્થ– નૈગમ, સંગ્રહ, વ્યવહાર, એ ત્રણ નય પંચજ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને ગ્રહે છે, અને ચોથો જુસૂત્રનય, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને વજીને છને ગ્રહણ કરે છે. અત્રે પ્રશ્ન કરે છે કે ત્રાજુસૂત્રય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને કેમ ગ્રહણ કરતું નથી ? અત્રે ઉત્તર કે, મતિજ્ઞાન છે, તે શ્રેત્રજ્ઞાનનું કારણ છે, અને મતિજ્ઞાન શ્રતઅજ્ઞાનનું ઉપકારક એટલે કારણ છે, માટે સારાંશ કે શુતજ્ઞાન અને શ્રતઅજ્ઞાનને ઉત્પન્ન કરીને, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન નષ્ટ થઈ જાય છે. શબ્દનય, શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બેને અંગીકાર કરે છે. અત્ર પ્રશ્ન કે, બાકીનાં ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને કેમ શબ્દનય વિષય કરતે નથી? પ્રત્યુત્તરમાં જાણવાનું કે મંતિ, અવધિ અને મનઃપર્યવ, એ ત્રણ જ્ઞાનતે શ્રુતજ્ઞાનનાં ઉપકારક છે, અર્થાત્ કારણભૂત છે. તેથી તેનું ગ્રહણ કર્યું નથી, અને ત્રણ અજ્ઞાનતે મિથ્યાદષ્ટિને હોય છે, અને શબ્દનય તે સમકિતને ગ્રહણ કરે છે. તેથી ત્રણ અજ્ઞાનને શબ્દનય ગ્રહણ કરતું નથી. શબ્દનયના પ્રતાપથીજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આપ્તવચનમાં પ્રામાણ્ય આવે છે. ઈત્યાદિ સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only