________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦) છે, તેમાં કઈ જાતને દોષ પ્રાપ્ત થતું નથી, માટે મધ્યમ પરિણામી આત્મા માનતાં કોઈજાતને દોષ આવતું નથી. સાનુકુળ પ્રતિકુળ અનેક વસ્તુઓને સંબંધ શુભાશુભ અદ્રષ્ટ કરે છે. વળી કહ્યું કે–આત્મા સર્વવ્યાપક આકાશની પેઠે છે, એ વચન એકાંતે અનુભવમાં આવતું નથી. દેહમાંજ સુખ-દુઃખના જ્ઞાતા તરીકે આત્માને અનુભવ થાય છે, પણ દેહવિના દ્વીપાંતરમાં પિતાને આત્મા છે. એ અનુભવ થતો નથી. જ્ઞાનગુણ જ્યાં હોય છે, ત્યાં ગુણ આત્મા હોય છે. જ્ઞાનગુણ શરીરના સંબંધે આત્મામાં હોય છે, માટે જ્ઞાનગુણને આધાર આત્મા પણ શરીરમાં જ રહે છે. જે શરીરવિના આત્મા અન્યત્ર રહેતું હોય તો દ્વીપાંતરનું પણ હાલ જ્ઞાન થવું જોઈએ. જે કહેશે કે આવ્હાજ્ઞાન તે ઇન્દ્રિયો દ્વારા તથા મને દ્વારા થાય છે, અને દ્વિીપાંતરમાં ઈન્દ્રિય તથા મનના અભાવે બાહાજ્ઞાન થતું નથી. ત્યારે અમે એમ કહીએ છીએ કે બાહ્ય જ્ઞાન ભલે ના થાય, પણ દ્વીપાંતરમાં આત્માના સદુભાવથી અંતજ્ઞાન થવું જે ઈએ, પણ તે અનુભવમાં આવતું નથી. તમે કહેશે કે, દીપાંતરના આત્માને અન્તજ્ઞાન છે, પણ આ શરીરમાં રહેલા આત્માને ઈન્દ્રિયકર્તાવરણ છે, તેથી અન્તાનને અનુભવ થતો નથી. આવું તમારું કહેવું એગ્ય નથી. કારણ કે પોતાની આત્માને કર્માવરણ નથી, અને આ શરી
For Private And Personal Use Only