________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬) હવે આત્મા સપ્રદેશ છે તે કહ્યા બાદ એક, અનેક કહે છે. છ દ્રવ્યમાં એક ધર્માસ્તિકાય બીજું અધમસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે. તથા જીવ, પુદ્ગલ અને કાલ એ ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને બીજાં પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે, અને નિશ્ચયથી છએ દ્રવ્ય પોત પોતાના કાર્યમાં સદા પ્રવર્તે છે; માટે સક્રિય છે. જીવદ્રવ્ય, સંસારાવસ્થામાં સક્રિય છે અને સિદ્ધ થતાં સંસારી ક્રિયા કરતા નથી. માટે અક્રિય, બાકીનાં ચાર દ્રવ્ય, વ્યવહારથી અકિય છે, કવ્યાર્થિકનયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય ધ્રુવ છે. અને પર્યાયાર્થિંકનયની અપેક્ષાએ સમયે સમયે ઉત્પાદ વ્યય થવાથી અનિત્ય છે, વ્યવહારનયથી જીવ અને પગલા એ બે દ્રવ્ય અનિત્ય છે, અને બાકીનાં ચાર દ્રવ્ય નિત્ય છે.
છ દ્રવ્યમાં એક છવદ્રવ્ય અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે, કારણ કે પંચ દ્રવ્ય પણ છવના ગમાં આવે છે, જેમકે ધર્માસ્તિકાય, જીવને ચાલવામાં સાહાસ્ય કરે છે, અધર્માસ્તિકાય, સ્થિર રહેવામાં સહાય કરે છે. આકાશા સ્તિકાયદ્રવ્ય છે, તે જીવને અવકાશ લેવા રૂપ કાર્યમાં નિમિત્ત કારણરૂપે બને છે. પુદગલાસ્તિકાય છે તે જીવને પંચેન્દ્રિયના ભેગમાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ તરીકે
For Private And Personal Use Only