________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૧ ). જુદી જુદી આકૃતિ વૃક્ષની દેખાય છે, તે ફક્ત કલ્પના છે. આમ કહેનાર બીજી બાજુથી વિચાર કરતું નથી કે, સર્વે વૃક્ષ વૃક્ષવત્વ સાધારણ ધર્મથી એક સરખાં છે, તેમ છતાં આમ્ર, નિંબ આદિ ભિન્ન ભિન્ન વ્યકિત પ્રત્યક્ષ દેખાય છે, તેથી વ્યકિતની અપેક્ષાએ તે અનેક છે. પ્રત્યેક વૃક્ષ ગુણફલની અપેક્ષાએ અનેક છે, તેમ વિશેષ ધર્મ જાણ્યા છતાં, વિશેષ ધર્મને અપલાપ કરે છે, તેની પેઠે સત્તાથી સર્વ જીવોને એક આત્મા માનીને અસંખ્યપ્રદેશરૂપ
વ્યક્તિને અપલાપ કરે, તથા પ્રત્યેક આત્મવ્યકિત ભિન્ન ભિન્ન રહે છે. તેને અપલાપ કરી એકાંતે સામાન્ય ધર્મરૂપ સત્તાને સ્વીકારવી, તેથી પૂર્વોકત બે દૃષ્ટાંતોની પેઠે પ્રત્યક્ષ વિરોધ આવે છે. વળી જલમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે, તેમાં ચંદ્ર એક છે, અને પ્રતિબિંબ અનેક છે, તેમ આત્મા એક છે, પણ તેના પ્રતિબિંબરૂપ છે અનેક છે. એમ તમે કહે છે, તે પણ જ્ઞાન યુકિતથી વિચારી જોતાં અસત્ ઠરે છે. કારણકે રૂપીપદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ ચંદ્ર રૂપી છે, તે તેનું પ્રતિબિંબ પણ રૂપી પડે છે. બ્રહ્મ (આત્મા) અરૂપી નિરાકાર પદાર્થ છે, તેથી તેન: પ્રતિબિંબ પડે જ નહીં. આત્મા નિરાકાર હોવાથી, તેનું અનેક જીવરૂપ પ્રતિબિંબ આકાશની પેઠે પડે નહીં. એમ પ્રમાણથી પણ સિદ્ધ કરે છે. તથા જેમ સર્વવ્યાપક આકાશ છે, તે આકાશ નિરાકાર હેવાથી, તેનું જેમ પ્રતિબિંબ
For Private And Personal Use Only