________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ર) પડતું નથી. તેમ આત્માનું પ્રતિબિંબ પડતું નથી, તથા સર્વવ્યાપક બ્રહ્નનું અંશ અંશ રૂપ પ્રતિબિંબ પણ હોઈ શકે નહીં. વળી વિચારવાનું કે પ્રતિબિંબ સામી વસ્તુમાં પડે છે. જેમ સુખનું પ્રતિબિંબ સામી વસ્તુ દપૈણમાં પડે છે, તેમ અત્ર પણ બ્રહ્મના પ્રતિબિંબ માટે સામી વસ્તુ બીજી માનવી પડશે, અને સામિ વસ્તુ માનશે તે, અન્ય જડ પદાર્થની સિદ્ધિ થઈ. ત્યારે એક બ્રહ્મ અને બીજો જડ પદાર્થ, એમ બે પદાર્થની સિદ્ધિ થતાં, અદ્વૈતતત્ત્વને મૂળથી નાશ થાય છે, માટે જલચંદ્રનું દ્રષ્ટાંત પણ અદ્વૈતતત્વની સિદ્ધિમાં ઘટતું નથી. વળી સમજવાનું કે, જે વસ્તુ સતું હોય છે, તેને નિષેધ થાય છે. જે વસ્તુ નથી, તેને નિષેધ કયાંથી હેય ! અદ્વૈત એમાં અમત અ=નહીં =àત=બે પણું, બે નહીં. આમાં અદ્વૈતત્વનો નિષેધ કરે છે, તે દ્વતત્વના જ્ઞાનથી કે અજ્ઞાનથી ? જે કહેશે કે તત્વના જ્ઞાનથી, તેમાં પ્રશ્ન કે બે પદાર્થ સત્ છે કે અસત્ છે ? જો કહેશે કે સત્ છે, તે સને નિષેધ ત્રિકાલમાં થઈ શકે નહીં. જે કહેશે કે, બે પદાર્થ અસત્ છે, તે કહેવાનું કે આકાશ કુસુમની પેઠે જે એકાંત અસત્ વસ્તુ નથી, તે તેનો નિષેધ શી રીતે કરી શકાય! બે અસત્ માનતાં બ્રહ્મ પણ અસત્ ઠર્યું, તેથી મૂલતે હાનિ દેષ પ્રાપ્ત થશે. વળી જડ પદાર્થ અસત્ અને બ્રહ્મ અસત્ નહીં, તેમાં
For Private And Personal Use Only