________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨ )
વતર્માંનકાલે જે વસ્તુ જેવા ગુણે પરિણમે છે, વર્તે છે. તે વસ્તુને તે પ્રમાણે કહે છે, તે માટે આ નય પરિણામગ્રાહી છે. જેમ કોઇ સાધુ થયેા છે, પણ, તેના પરિણામ ગૃહસ્થના વર્તે છે. તે આ નયના અનુસારે તે ગૃહસ્થ છે. તથા કાઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરંગ પરિણામ સાધુ જેવા વર્તે છે, તેા તેને આ નય સાધુ કહે છે. રૂજીસૂત્રનયના બે ભેદ છે. એક સૂક્ષ્મ ૠજીસૂત્રનય છે, તે એમ કહે છે કે, સદાકાલ સવસ્તુમાં એક વર્તમાન સમય વર્તે છે. એટલે જે જીવ ભૂતકાલે અજ્ઞાની હતા, અને ભવિષ્યકાળે અજ્ઞાની થશે, પણ વર્તમાનકાલે જ્ઞાની છે, તે તેને જ્ઞાની કહે છે. તે સૂમન્નુસૂત્રનય જાણવા. અા મોટા પરિણામને ગ્રહે છે, તેને સ્થૂલરૂજીસૂત્રનય કહે છે. એક પરમાણુ ભૂતકાલે કૃષ્ણ હતેા, વર્તમાનકાલે લાલ છે, અને ભવિષ્યકાલે પીત થશે, તેમાં એ કાલના ત્યાગ કરીને પરમાણુને વર્તમાનકાલમાં લાલ દેખી લાલ કહેવા,તે આ નયનુ લક્ષણુ છે.અતીત અના ગતકાલ છે તે, રૂજુસૂત્રનયની અપેક્ષાએ અછત છે, કારણ કે અતીતપણે વિષ્ણુશી ગયા છે, અને અનાગતકાલ આવ્યે નથી. માટે અતીત અનાગત બે અવસ્તુ છે, અને જે વ માન પર્યાયે વર્તે છે, તે ઋજુસૂત્રનયની અપેક્ષાએ વસ્તુપણુ છે, પૂર્વાંકાલ પશ્ચાત્કાલ ગ્રહીને વસ્તુ કહેવી, તે નૈગમનય છે. આરાપરૂપ તે છે. કાઇ કહેછે કે નૈગમનય, સ`સારી
For Private And Personal Use Only