________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૯ ) एकैकस्मिन् द्रव्ये गुणे पर्याय च सप्तसप्तभंगा भवत्येव: अतः अनंतपर्यायपरिणते वस्तुनि अनंता: सप्तभंग्यो भवंति इति रत्नाकरावतारिकायां.
દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં, સાત સાત સપ્તભંગી - લાગે છે. એ સપ્તભંગીના પરિણામને સ્યાદ્વાદપણું કહે છે,
સ્વધર્મમાં પરિણમવું, તે અસ્તિધર્મ છે. અને પરધર્મમાં પરિણમવું, તે નાસ્તિ ધર્મ છે, એ સપ્તભંગી વસ્તુ ધર્મમાં છે. વસ્તુ પોતાના પર્યાયે છતાપણે છે, અને પરપર્યાયે જે અન્યદ્રવ્યમાં પરિણમે છે, તેને જામક છે. તે નાસ્તિ ધર્મ છે. એક જ વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ એક સમયમાં વર્તે છે. વસ્તુમાં રહેલા અનંત અસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ ધર્મ, કેવલજ્ઞાનીને એક સમયમાં સમકાલે ભાસે છે. તે અનંત ધમને શ્રી કેવલજ્ઞાની ભંગાંતર વચનથી કહી શકે છે, અને છાસ્થ તે ધર્મને શ્રદ્ધામાં એક કાળમાં સદેહે છે અને કેવલીના ભાસનમાં સમકાલે છે, અને વસ્તુના અનંતધર્મનું ભાસન શ્રી કૃત જ્ઞાનીને કમપૂર્વક થાય છે, કારણકે, ભાષાથી સર્વ ધર્મ અનુક્રમે કહેવાય છે. તેથી એક કાળમાં સર્વ ધર્મો, કહ્યા જાય નહીં. તેથી અસત્ય થાય માટે જે રાત્ર પદે પ્રરૂપીએ, તે સત્ય થાય છે. માટે જન્ન પૂર્વક સપ્તભંગી કહેવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, સ્વભાવ, છે તે સર્વ
For Private And Personal Use Only