________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮.). આદિ અને ત્યાગ કરતાં અંત થાય છે, પણ લેકાંત સિદ્ધ ક્ષેત્રના સિદ્ધજીને તત્રસ્થ આકાશપ્રદેશોની સાથે સંબંધ છે, તે આદિ અનંતમા ભાગે જાણ. કાકાશ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે. આકાશપ્રદેશની સાથે પુગલ પરમાણુને સાદિ સાંત સંબંધ છે. એમ આકાશની પેક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ સંબંધ જાણ. જીવ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે, ભવ્યને પુદ્ગલને સંબંધ અનાદિ સાંત છે અને અભવ્ય ને અનાદિ અનંત સંબંધ છે. અત્ર સમજવું કે કર્મ જડ છે, તે પણ તે આત્માની અશુદ્ધપરિણતિગે આત્માને લાગે છે; અશુદ્ધ પરિણતિ અનાદિકાળથી છે, તેથી કર્મ પણ જીવને અનાદિકાળથી લાગ્યાં છે, અન્ય કઈ કર્મ લગાડનાર નથી.
નિશ્ચયથી છએ દ્રવ્ય, સ્વભાવ પરિણામે પરિણમ્યાં છે, અને પ્રત્યેક દ્રવ્યને સ્વભાવ પરિણામ શાસ્વત છે. તે પરિણામ અનાદિ અનંતમાં ભાંગે છે, જીવ અને પુદગલ દ્રવ્ય બે પરિણમ્યાં છે. તે વિભાવપરિણામ છે. પુદગલને પરિણામ, સત્તાઓ અનાદિ અનંત છે. અને પુદ્ગલનું મિલવું વિખરવું સાદિસાંત છે, જીવદ્રવ્ય, પુદ્ગલ સાથે મળેલ હોય છે ત્યારે સક્રિય છે, અને કર્મરૂપ પુદ્ગલથી રહિત થાય છે ત્યારે અક્રિય છે. પુદગલદ્રવ્ય સદા સકિય છે.
For Private And Personal Use Only