________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮) બાકીનાં પંચદ્રવ્ય અકારણ છે. એ વચન પણ અનુભવમાં આવે છે. બહુશ્રુત કહે તે ખરૂં, છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, અને બાકીનાં ચાર દ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રશ્ય ઉપચારે છે, અને તે અઢીદ્વીપ વ્યાપી જાણો.
હવે એકેકા દ્રવ્યમાં એક નિત્ય, બીજે અનિત્ય; ત્રીજે એક, ચોથે અનેક, પંચમ સત, અને છઠ્ઠો અસત, સાતમે વક્તવ્ય, અને આઠમે અવક્તવ્ય, એ આઠ પક્ષ કહે છે.
ધર્માસ્તિકાયના ચારગુણ નિત્ય છે. તથા પર્યાયમાં ધર્માસ્તિકાયને એક કપ નિત્ય છે. બાકીના દેશપ્રદેશ તથા અગુરુલઘુપર્યાય અનિત્ય છે. અધર્માસ્તિકાયના ચાર ગુણ તથા લેકપ્રમાણુ કંધ નિત્ય છે, અને દેશપ્રદેશ અને અગુરુલઘુપર્યાય અનિત્ય છે, આકાશાસ્તિકાયના ચાર ગુણ તથા લેકપ્રમાણ અંધ નિત્ય છે. દેશ, પ્રદેશ અને અણુરૂલઘુ અનિત્ય છે. કાલદ્રવ્યના ચાર ગુણ ઉપચારથી નિત્ય
છે, અને ચાર પર્યાય અનિત્ય છે. પુદગલના ચાર ગુણ નિત્ય છે અને ચાર પર્યાય અનિત્ય છે. છવદ્રવ્યના ચારગુણ તથા ત્રણ પર્યાય નિત્ય છે અને એક અગુરુલઘુપર્યાય અનિત્ય છે.
હવે એક અનેક પક્ષ પદ્રવ્યમાં કહે છે. ધર્મ અને અધમસ્તિકાય એ બે દ્રવ્યને સ્કંધ લેકાકાશ પ્રમાણે એક છે, અને ગુણ અનંત છે. પર્યાય અનંત છે. પ્રદેશ અસં.
For Private And Personal Use Only