________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) ભૂતકાલ અનાદિસાત છે, અને વર્તમાનકાળ સાદિસાત છે. ભવિષ્યકાળ સાદિઅનંત છે. ભવિષ્યકાળની વર્તમાનકાળની અપેક્ષાએ સાદિ છે, પણ તેને અંત નથી. કાળનું સ્વરૂપ ઉપચારથી સર્વ જાણવું.
હવે વ્યાદિક ચતુષ્ટયમાં ચતુર્ભગી કથે છે. છવદ્રવ્યમાં દ્રવ્યથી જ્ઞાનાદિકગુણ અનાદિઅનંત છે. સ્વક્ષેત્રથી જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે સાદિસાંત છે. વસ્તુતઃ ક્ષેત્રથી જીવના અસંખ્યપ્રદેશ અનાદિ અનંતમાં ભાંગે છે. કારણ કે આત્માના પ્રદેશની આદિ નથી, નિત્ય છે, માટે તથા આત્માના અસંખ્ય પ્રદેશને અંત નથી, અવિનાશી છે, માટે, અસ ખ્યાત પ્રદેશરૂપ સ્વક્ષેત્ર જીવનું છે, તે અનાદિઅનંત ભાંગે છે. પણ અસંખ્યાત પ્રદેશમય છવદ્રવ્ય સંસારી દશામાં શરીરવ્યાપી હોય છે, અને જીવના પ્રદેશોનું ઉદ્વ
ન હોવાથી, તે ફરે છે તેથી આકાશપ્રદેશની સાથે તેને સંબંધ સાદિપણે વતે છે. બીજા આકાશપ્રદેશની સાથે તેજ આત્મપ્રદેશને સંબંધ થાતાં, પ્રથમના સંબંધને અંત આવે છે, માટે આકાશપ્રદેશની સાથે જીવન પ્રદેશેને સાદિસાંત સંબંધ જાણ, તથા સિદ્ધજીના પ્રદેશેને આકાશપ્રદેશોની સાથે સંબંધ સાદિ અનંતમાં ભાંગે હોય છે. જીવને સ્વીકાલ અગુરુલઘુ ગુણ અનાદિ અનંત છે તથા અગુરુલઘુ ગુણને ઉપજ તથા વિણસ સાદિસાંત
For Private And Personal Use Only