________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૨ ) ની વર્ણવે છે. સાત, સાપેક્ષપણે સાચા જાણવા, તે જો એક બીજાથી નિરપેક્ષપણે વતે તે, સુનય પણ કુનય કહેવાય છે. સાત નયથી આત્મસ્વરૂપ જાણું પર્યાયાર્થિક નથી કહેવાતું એવું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, આત્માને પિતાના સ્વરૂપમાં સ્થિરકરી પરભાવમાં જતો અટકાવે, વા ઉપશમભાવ તથા ક્ષપશમભાવ દ્વારા ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરવા નિમિત્તકરણની સાપેક્ષતાએ પ્રયત્ન કરેલે સફળ થાય છે. પોતાનું જ્ઞાનદર્શન ચારિત્રમય શુદ્ધસ્વરૂપ છે, તેજ હું છું. અન્ય જડ વસ્તુમાં ત્રિકાલમાં પણ હું નથી. મેહમાયાની વાસનાથી પરમાં અહત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ હવે જ્ઞાનગથી અન્તમાં પ્રકાશ થવાથી મારું ચૈતન્ય વરૂપ મેં જાણ્યું, હું આત્મા કે છું તે દર્શાવે છે,
જ. शुद्धाऽऽत्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम ।। नान्योऽहं न ममान्ये चे,त्यदो मोहास्त्रमुल्यणम् ॥१॥
હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાનગુણ મારે છે, ક્ષાયિકભાવે ઉત્પન્ન થતું કૈવલજ્ઞાન તેજ મારો મુખ્ય ગુણ છે. તેવિના શરીર, લેશ્યા, રાગ દ્વેષ, મન, વચન, ધન, સ્ત્રી, પુત્ર, રાજ્ય, ક્ષેત્ર, પૃથ્વી, વગેરે હું નથી. આવી પૂર્ણ શ્રદ્ધાથી તથા સંવેગથી ક્ષપશમભાવની તત્ત્વબુદ્ધિ, છે તે મોહને ક્ષય કરવા સમર્થ શસ્ત્ર જેવી છે, અર્થાત્ આવું આત્મિકસુજ્ઞાન
For Private And Personal Use Only