________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ૫ ) આત્મપ્રભુ છે, અને આ દેખાતું શરીર તમારાથી ભિન્ન છે, એમ ભાસ્યા વિના રહેશે નહીં. શ્રી તીર્થકર, ચક્રવર્તિ, મુનિ વિગેરે જે અનંત સિદ્ધ થયા અને થશે, તે સર્વ - ત્મપ્રભુની ઉપાસના કરવાથી સમજે. સૂર્ય, ઘનવાદળથી આછાદિત હોય તો પણ દિવસ માલુમ પડે છે. તેમ આત્મા અષ્ટકર્મથી આચ્છાદિત છે, તે પણ જ્ઞાનથી તે પ્રકાશ કરે છે. હે ભવ્ય ! રત્નચિંતામણિ, કામધેનુ, કામકુંભ કલ્પવૃક્ષથી જે સુખ અપાય નહીં, તે સુખને દાતા આત્મા પ્રભુ તમારા શરીરમાં જ્ઞાનતિથી વિદ્યમાન છતાં કયાં તું બાહ્યપદાર્થોમાં સુખને શોધે છે ? હું ચિત્ર, વા હું અમૃત, વા હું મણિલાલ, એવા શબ્દમાં તમે આત્માને કયાં
છો ? બાળ, યુવા, અને વૃદ્ધ એવા શરીરને આત્મામાની કેમ ભૂલ કરે છે ? તમે તે સર્વથી ન્યારા અંતરાત્મા પ્રભુ છે, એમ દઢ વિશ્વાસ ધારણ કરે, અને સત્તાપેક્ષાએ તમે પરમાત્મા છે, માટે આત્માને સિદ્ધસમાન ભાવે, સિદ્ધસ્વરૂપ અન્તરાત્માથી ન્યારૂં નથી એમ અભેદભાવનાથી આત્મા, પરમાત્માને ભેદ દૂર કરે. તમારી અનંતિશક્તિ છે. તમે આત્મા છે, પણ કાળું ગેરું દેખાતું શરીર તમે નથી, એમ અન્તમાં લાવ્યા કરે. સર્વ શરીર મન, વાણીમાં થતા અહંઅધ્યાસને ભૂલી જાઓ. અન્તમાં રમતા કરે. આવી દયાનશકિત સ્થિરપણે પ્રતિદિન વૃદ્ધિ કરતા રહે.
For Private And Personal Use Only