________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૮) સુખ, વીર્યરૂપ અનંત ઘણું ધન કર્મરૂપ ધૂળથી દટાએલું છે, તેથી જીવ પિતાને નિર્ધન માને છે, અને પુગલ કે જે રૂપું, સેનું મેતી, વિગેરે છે, તેને ધન સમજી પુદ્ગલ ભીક્ષા માગ્યા કરે છે, પણ જ્યારે પ્રાણીને શ્રી સદ્દગુરૂને સમાગમ થાય છે, ત્યારે તેને, ગુરૂ આત્મિક ધન, જ્ઞાનચક્ષુ ઉઘાડી દેખાડે છે. તેથી આત્માને અનંત આનંદ સંપ્રાપ્ત થાય છે, અને પછી મનમાં વિચારે છે કે અહે !! સત્યધન તે મારા આત્મામાં છે. બાહાધન તે અનંત સિદ્વછની એંઠ છે. તે તે જડવસ્તુ છે. મારું ધન તો જડવસ્તુથી ભિન્ન છે, એમ ખરેખર જ્ઞાનથી વિક્રવાસ થતાં
જીવની ધનાથે સુખાર્થે બાહ્યભાવમાં થતી પ્રવૃત્તિ સહેજે ટળે છે, અને આત્મા નિવૃત્તિમય બને છે, અને આત્મા, ગુણ ભાવનાથી આત્માને ભાવ ભેદજ્ઞાની આત્મા અનંતસુખનો ભોગી બને છે. આત્મા, શાંતભાવરૂપ અમૃતરસનું આ સ્વાદન કરતે છત, અંતરમાં પૂર્ણ બ્રહ્મસ્વરૂપને અભ્યાસી બની, અનંત આનંદ રસને સમયે સમયે આસ્વાદ લે છે. બ્રહ્મસ્વરૂપને આનંદ ભાગવી, આત્મા સાંસારિક સુખને વિષ્ઠા સમાન લેખે છે, અને ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્રની પદવીને પણ બાળચેષ્ટા સમાન ગણે છે. આત્મા, પ્રભુનું ધ્યાન કરતાં પરમાત્મસ્વરૂપે પ્રગટે છે તે ઉપર શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે
For Private And Personal Use Only