________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬). જુદા શરીરમાં પરિણમી શકે છે. આત્માને પર્યાયનયાપેક્ષાએ અનિત્ય માનતાં, કર્મ સાથે પરિણમન ઘટી શકે છે. એકાંત નિત્ય આત્મા માનતાં, કર્મ સાથે પરિણમન થઈ શકતું ન હતું તે દેષને કથંચિત્ અનિત્ય માનતાં સર્વથા પરિહાર થાય છે. વળી કથંચિત દ્રવ્યાપેક્ષા નિત્ય માનતાં, એકાંતઅનિત્યપક્ષમાં આત્માની ક્ષણમાં નષ્ટતા સિદ્ધ થતાં, હિંસાદિકની અનુપત્તિ વિગેરે જેજે દોષ લાગતા હતા, તે સર્વને પરિહાર થાય છે. કારણ કે પર્યાયાર્થિકનયાપેક્ષાવડે આત્મામાં ક્ષણે ક્ષણે પર્યાયને વ્યય થાય, અને અન્ય પર્યાયને ઉત્પાદ થાય, તે પણ દ્રવ્યરૂપે તે આત્મા નિત્ય હેવાથી, અને પર્યાયનું ભાન હોવાથી, બીજા ક્ષણમાં આત્માની અસ્તિતા સિદ્ધ થાય છે અને હિંસાદિકની પણ ઉપપત્તિ થઈ શકે છે. કારણ કે, કૃતકમ, તથા પરિણામને કર્તા તથા ભક્તા આત્મા, દ્રવ્યાકિનયની અપેક્ષાએ, સદાકાળ વિદ્યમાન છે, કર્મની પ્રકૃતિ આત્માના પ્રદેશે સાથે સંબંધ ધરાવે છે, અને આત્મપ્રદેશે તે ધ્રુવ છે. દ્રવ્યપણે નિત્ય છે, તેથી કર્મ લાગવામાં તથા અન્ય ક્ષણમાં તથા અન્યભવમાં કર્મ ભેગવવામાં કઈ જાતને દોષ આવતું નથી. એકાંતનિત્ય આત્મા માનતાં, દેહની સાથે આત્માને સંબંધ થાય નહિ. એકાંતઅનિત્ય આત્મા માનતાં, બીજા ક્ષણમાં આત્મા નષ્ટ થાય, પણ અનાદિકાળ સિદ્ધ એવો નિત્યાનિત્ય પક્ષ આત્મામાં
For Private And Personal Use Only