________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮
)
કરી, છ મહાદુઃખ સંપ્રાપ્ત કરે છે. સમકિત ગુણ પ્રાપ્ત થયાથી, બહિરાત્મભાવને ત્યાગ થાય છે, અને તેથી અંતરાત્મપ્રભુની સેવા થઈ શકે છે. તથા સમકિત ગુણ અને દેશથકી વિરતિગુણ, તથા સર્વતઃ વિરતિગુણ, પ્રાપ્ત કર્યાથી, અંતરાત્મપ્રભુની વિશેષતઃ સેવાભક્તિ કરી શકાય છે. અપ્રમત્તદશાથી સાતમું ગુણઠાણું પ્રાપ્ત કર્યાથી, વિશેષતઃ અંતરાત્મપ્રભુની સેવા કરી શકાય છે. ચોથા ગુણઠાણાથી તે સાતમાગુણઠાણ સુધી ધર્મધ્યાનના ચાર પાયાવડે, અંતરાત્મપ્રભુની સેવા કરવામાં આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢતે જીવ, ઉપશમ ભાવથી આઠમાં ગુણઠાણાથી તે અગીયારમાં ગુણઠાણ સુધી, અંતરાત્મપ્રભુની સેવા કરે છે. આઠમાં ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ આરંભ કરતો છતે જીવ, શુકલધ્યાનથી અંતરામપ્રભુની સેવાભક્તિ કરી શકે છે. આઠમા ગુણઠાણુથી શુકલધ્યાન શરૂ થાય છે. શુકલધ્યાનથી અંતરાત્મપ્રભુની સેવાભક્તિથી ઘણાં કર્મને ક્ષય થઈ જાય છે. અને તેથી આત્મા અસંખ્ય પ્રદેશે નિર્મલ થતો જાય છે, શુકલધ્યાનના બીજા પાયાથી અંતરાત્મપ્રભુની સેવાભક્તિ કરતાં, શેષ રહેલાં ત્રણ ઘાતિકર્મને ક્ષય થઈ જાય છે, અને બારમા ગુણકાણાને અંતે ઘાતકર્મને ક્ષય થતાં, તેરમાં ગુણઠાણે ક્ષાયિક ભાવથી નવલધિ પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય
For Private And Personal Use Only