________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૩ ) ૪–જેમ કમલ પિતાની સુગંધથી સુગંધિત હોય છે, તેમ
મુનિરાજ સ્વરવભાવરમણાદિક ગુણોથી રાગંધિત રહે છે, ૫–જેમ કમલ પોતાની કાન્તિથી દેદીપ્યમાન હોય છે,
તેમ મુનિરાજ, જ્ઞાન ધ્યાનરૂપકાન્તિથી દેદીપ્યમાન હોય છે. –જેમ કમલ નિર્મલ ઉર્વીલ હોય છે, તેમ મુનિરાજ
ધર્મધ્યાનવડે તથા શુકલધ્યાનવડે નિર્મળ ઉજવલ હોય છે. ૭–જેમ કમલ સદા ચંદ્ર તથા સૂર્યના સન્મુખ રહે છે,
તેમ મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સન્મુખ રહે છે. શ્રી મુનીશ્વર મહારાજ રત્નત્રયીના સદાકાળ આરાધક હોવાથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રથમપદે અધિકારી છે, અને તેમને પંચપરમેષ્ઠીમાં ગયા છે. જો
પણ ૪iલોકેની દર રહેલા જનાજ્ઞાધારક પંચ મહુવાધારી સર્વ સુનીશ્વરે ને નસકાર થાઓ, એમ પરમેષ્ઠિમંત્રમાં ઈશ્વરરૂપે સાધુ વર્ણવ્યા છે. એવા પરમેશ્વરરૂપ મુનિરાજની અધ્યાત્મદશાનું વર્ણન કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રથમ જ્ઞાન કરી, પશ્ચાત્ તેનું લક્ષ્ય કરી. મુનિરાજ તત્વસ્વરૂપ જે આત્મા, તેની પરમાત્મદશા થવાના ઉપાય સાધે છે. એવા મુનિવરપ્રભુને નમસ્કાર કરતાં, જન્મજરામરણનાં દુઃખ નાશ પામે છે, શ્રાવક અને મુનિરાજની આ
For Private And Personal Use Only