________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ર ) તમારા હૃદયમાં સ્વાર્થરૂપ રાફડે કરી, તેમાં કપટરૂપ કાળે નાગ વસે છે, તેને ચુક્તિ પ્રયુક્તિથી દૂર કરજે, હૃદયમંદિર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ કાર્ય સિદ્ધિ થશે નહીં. તમારું હૃદયક્ષેત્ર જ્યાંસુધી અગ્યતા મલીનતા રૂપ ખારી માટીથી ખરાબ બન્યું છે, ત્યાં સુધી તેમાં આત્મશુદ્ધપરિણતિરૂપ ફલાળે, આમે પાસનારૂપ બીજ વાવશે, તે તે નકામું જવાનું છે. ખારી માટી સમાન દુર્ગુણી હૃદયક્ષેત્રમાં વાવેલું આત્મપાસનારૂપ બીજ નકામું જશે. બાહિરથી અનેક પ્રકારના ટીલા ટપકાં છાપ વિગેરે લગાવી માનીલે કે મારા હૃદયમંદિરમાં ભગવાન પધાર્યા, પણ આ તમારું માનવું મંડુક જટાવત્ તથા મનુષ્યશૃંગવત ફેક છે. જ્યાં સુધી તમે સ્વાર્થઅન્ય છે, અને વેર ઝેર નિંદા વિશ્વાસઘાત વિગેરે અપકૃત્યથી હૃદયમંદિરને ખરાબ દુર્ગધી બનાવતા રહે છે, ત્યાં સુધી ઉપરનાં ટલાં ટપકાં છાપ વિગેરે લાખે ચિન્હ લગાવે, મેરૂપર્વતની જેટલી ભસ્મ શરીરે ચેપડે, ફ્રેનેગ્રાયંત્રની પેઠે જ ડરબની અનેક પ્રકારનું ગાન કરે, પણ તેથી આત્મપ્રભુ સંતુષ્ટ થશે નહીં, અને હૃદયમંદિરમાં વાસ કરશે નહીં, એમ નક્કી સમજજે, હાથીના દાંત ચાવવાના જૂદા અને દેખાડવાના જૂદા. એવી બેભાવવાળી ક૫ટવૃત્તિને તમે હદયમાં વાસ કરવા દે છે, ત્યાંસુધી હૃદયમંદિરમાં
For Private And Personal Use Only