________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬) પ્રાણાયામનું સ્વરૂપ કહ્યા બાદ પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિક ત્રેવીશ વિષય છે તેની સાથે મન જોડે નહીં. બહિરાત્મભાવદષ્ટિને, પરિહરીને, અન્તર દષ્ટિથી લક્ષ્યભૂત સાધ્યને સાધે. અત્તર આત્મસ્વરૂપમાં એક સ્થિર વૃત્તિથી ઉપગ રાખે. અત્તરદષ્ટિથી આત્માસંખ્ય પ્રદેશમાં ઉપયોગ રાખે; તવજ્ઞાનથી ઔદયિભાવમાં રાચેમા નહિં, સંસાર વૃદ્ધિના ઉપગને અસાર જાણે, આશ્રવ હેતુઓના સેવનથી દૂર રહે. પુદ્ગલખેલમાં નિરસારત્વ સમજી, તેમાં પ્રેમ ધારણ કરે નહીં. ઇત્યાદિ પ્રત્યાહારનાં લક્ષણ જાણવાં. પ્રત્યાહાર કરનાર પુરૂષ સ્વસ્વરૂપને વિલાસી હોય છે. દર્શનચારિત્ર મેહનીય ક્ષપશમ તથા ઉપશમ ભાવ પ્રત્યાહારથી વૃદ્ધિ પામે છે. આત્માના ગુણપર્યાયને વિચાર કરે. આત્માના સ્વરૂપને ઉપગ પૂર્વક હૃદયમાં ધારણ કરવું, તેને ધારણ કહે છે. ધારણમાં તત્ત્વને સ્થિર વિચાર હેય છે, અને આત્માવિષે નિવિડ ધારણ હોય છે. સમ્યગ તવિના એકાંત ક્ષતશાસ્ત્ર ઉપર વાસના હોતી નથી. હજારે સંસારનાં કાર્ય કરતાં છતાં પણ હાલા પતિનું સ્મરણ મનમાં સ્ત્રીને જેમ હોય છે, તેમ ધારણાના અભ્યાસી આ માર્થિજીનું સ્યાદ્વાદવાણુપ્રરૂપિત તત્ત્વસ્વરૂપમાં લક્ષ્ય વર્તે છે. ધારણાસાધકભવ્યજીને સંસારના હેતુઓ ઉપર રાગ તથાણ થતું નથી. અર્થાત તેઓ સમભાવે વર્તે છે. ધારણથી
For Private And Personal Use Only