________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭) થયે, તેમાં દ્રવ્યપણું તે પ્રથમ જેવું હતું, તેવું પરમામદશા થતાં પણ છે, પણ પ્રથમ આત્માના જ્ઞાનદર્શનચારિત્રરૂપ પર્યાય કર્મચેગે અશુદ્ધ હતા, તે કર્મ ટળતાં શુદ્ધપર્યાય થયા તેજ વિશેષ પરમાત્મપણું જાણવું. આત્માને નિત્યપણે તથા અનિત્યપણે જાણ્યા વિના, તથા આત્માને એક પણે તથા અનેકપણે જાણ્યા વિના સમ્યક આત્મજ્ઞાન થતું નથી. હવે નિત્યાનિત્યત્વપણું દર્શાવે છે. પ્રથમ એકાંતપક્ષ દર્શાવે છે.
तत्राऽऽत्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम्। हिंसादयः कथं तेषां, कथमप्याऽऽत्मनोऽव्ययात्. ?
ત્યાં આત્મા નિત્યજ એકાંતે છે, એવું જેઓનું એકાંત દર્શન છે, એવા સાંખ્ય, વેદાંતી, નૈયાયિક, મીમાંસકના - તમાં, હિંસાદિકની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ તે તેમના મતાનુસારે આત્માને નાશ નથી. માટે કથંચિત આત્માને નાશ માનવામાં આવે તે હિંસાદિક થાય છે. પણ તેને તો આત્માને નિત્ય માનનારા માનતા નથી. માટે તેમના માતાનુસાર હિંસાદિક નહીં ઘટવાથી, દયાદિકની સિદ્ધિ થતી નથી. આત્માને માનનાર નિત્ય એકાંતવાદી હિંસાદિકની સિદ્ધિ અર્થે ઉત્તર આપે છે તે નીચે મુજબ.
For Private And Personal Use Only