________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં મ
ન
કરવું કે
આ
(૨૭૯) પ્રગટ થાય છે, તેમ શરીરમાં રહેલે ગુપ્ત આત્મા તેનું ધ્યાન કરતાં આવિર્ભાવ થાય છે. જે તમારે સહં અક્ષરદ્વારા અક્ષરનું ધ્યાન કરવું હોય તે પ્રથમ યમનિયમનું પ્રતિપાલન કરે તથા આસન દઢ કરે. આસન દઢ કરીને પ્રાણાયામ શરૂ કરે. રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે. પ્રાણાયામથી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પંચ પ્રકારના વાયુની શુદ્ધિ તથા વશતા, થાય છે,
हदि प्राणो गुदेऽपानः समानो नाभिमण्डले; उदानः कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः १
હૃદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે. નાભિમંડલમાં સમાનવાયુ રહે છે. કંઠદેશમાં ઉદાનવાયુ રહે છે, અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે. વાયુને બહાર કાઢ, તેને રેચક પ્રાણાયામ કહે છે. વાયુને નાસિકા દ્વારા નાભિઆદિ સ્થાનમાં પૂર તેને કહે છે. વાયુને ઉદરમાં પુરી, સ્થિરકરે, તેને કુંભક પ્રાણાયમ કહે છે. આ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી મલની શુદ્ધિ તથા રક્તની શુદ્ધિ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરૂગમપૂર્વક કરવી જોઈએ, શુદ્ધસ્થાન, એકાંતદેશ, સારી હવા, સારૂ બીછાનું, ચિંતારહિત શરીર, રોગરહિત અવસ્થા, એટલા વાનાની અગત્યતા છે. ભોજન કર્યા બાદ તુરત પ્રાણાયામની ક્રિયા આરંભવી
For Private And Personal Use Only